Abtak Media Google News

ગણેશ વિસર્જનના બીજા જ દિવસે મંડપ કાઢી લેવો: મંજૂર કરેલા રૂટ પર જ વિસર્જન યાત્રા કાઢવા અનુરોધ

રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં ગણેશજીની સ્થાપના બાદ ઉત્સાહભેર ઉજવણી શરૂ કરવામાં આવી છે. ત્યારે રાજકોટ શહેર પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ દ્વારા ગણેશ વિસર્જનને લઈને એક જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે. જેમાં નક્કી કરાયેલા સ્થળોએ ગણેશ વિસર્જન કરવું અને વિસર્જનના બીજા દિવસે મંડપ કાઢી લેવા માટે તથા મંજૂર કરેલા રૂટ પર જ વિસર્જન યાત્રા કાઢવા માટે અનુરોધ કરવામાં આવ્યો છે.

રાજકોટ શહેરમાં દર વર્ષે ગણેશ મહોત્સવનો તહેવાર ખુબ ઉત્સાહ અને ધામધૂમપૂર્વક ઉજવવામાં આવે છે. આ વર્ષે ગણેશ મહોત્સવ નિમિત્તે તા.31 ઓગસ્ટના રોજ ભગવાનની મુર્તિનું સ્થાપન કરવા અંગે રાજકોટ પોલિસ કમિશ્નર રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધક આદેશો જારી કર્યા છે.ભગવાનની મુર્તિ પ્લાસ્ટર ઓફ પેરિસની બનેલી ન હોવી જોઈએ. ભગવાનની માટીની મૂર્તિ બેઠક સહીતની 9 ફૂટ કરતા વધારે ઊંચાઇની બનાવવા, વેંચવા, સ્થાપના કરવા, તથા જાહેર માર્ગ પર પરિવહન કરવા ઉપર, નકકી કરેલા વિસર્જન સ્થળો અને લીધેલ મજુરીમાં દર્શાવેલ સ્થળ સિવાય અન્ય કોઇ દરિયા, નદી, સ્ત્રીત કે નદીના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર, તળાવ, કુદરતી જળ સ્ત્રોત નદી ના ઓવારા ખાતે વિસર્જન કરવા ઉપર, મુર્તિકારો જે જગ્યાએ મુર્તિઓ બનાવવાની કામગીરી કરનાર છે.

તે જગ્યા તથા મુર્તિ જે જગ્યાએ વેંચાણ માટે રાખનાર તે જગ્યાની નજીકમાં તથા આજુબાજુમાં કોઇપણ પ્રકારની ગંદકી કરવા ઉપર, તેમજ મુર્તિઓના બનાવટો પાણીમાં સરળતાથી ઓગળી ન શકે તેવા ઝેરી કેમિકલયુક્ત રંગોનો ઉપયોગ કરવા ઉપર, મૂર્તિના સ્થાપના દિવસ બાદ મુર્તિકારોએ વેંચાણમાં લીધેલ અથવા ખંડીત થયેલ મુર્તિઓને સ્થાપના દિવસ બાદ બિનવારસી હાલતમાં મુકવા પર, કોઇ પણ ધર્મના લોકોની લાગણી દુભાય એવા કોઇ ચિન્હો કે નિશાનીવાળી મુર્તિઓ બનાવવા, ખરીદવા, તથા વેંચવા તેમજ સ્થાપના કરવા ઉપર, ગણેશ વિસર્જન પુર્ણ થયા બાદ સ્થાપના સ્થળો ખાતે મંડપ એક દિવસ કરતાં વધુ દિવસ સુધી રાખવા ઉપર, મૂર્તિને વિસર્જન કર્યા બાદ પાણીમાંથી બહાર કાઢી પરત લઇ જવા ઉપર, સ્થાપના કે વિસર્જન સરઘસ યોજવા અંગેની પરમીટમાં દર્શાવેલ રૂટ સિવાયના અન્ય રૂટ ઉપર સ્થાપના વિસર્જન યોજવા ઉપર તેમજ પ્રતિબંધ ફરમાવ્યો છે.

રાજ્ય સરકારના સંબંધિત વિભાગો તરફથી દરીયા, નદી, તળાવના પાણી તથા પર્યાવરણમાં થતા પ્રદુષણને અટકાવવા માટે અને રાજકોટ શહેરમાં બહારથી ગણેશજીની મૂર્તિઓ લાવી વેચવા પર પણ પ્રતિબંધ ફરમાવવામાં આવેલ છે. આ ઉજવણી દરમિયાન માસ્ક પહેરવાનું અને સોશ્યલ ડીસ્ટન્સ જાળવવાનું ફરજિયાત રહેશે.આ હુકમ તા.11 ઓગસ્ટ થી તા.11 સપ્ટેમ્બર સુધી રાજકોટ શહેરના સમગ્ર વિસ્તારમાં અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.