Abtak Media Google News

દેશના 28 કરોડ પાટીદારોના હકક માટે કાર્યરત સંસ્થાને દેશભરમાં સંગઠન માળખુ

સમસ્ત પાટીદાર સમાજના પ્રમુખ ધી મેડીકલ ટેકનીક એસો. ઓફ ગુજરાતના પ્રમુખ અને માનવ કલ્યાણ મંડળ ગુજરાતના ચેરમેન મુકેશભાઇ મેરજાની અખીલ ભારતીય કુર્મી ક્ષત્રીય મહાસભાના આજીવન ટ્રસ્ટી છે. તેને છાતીશગઢના રાયપુર ખાતે મળેલ રાષ્ટ્રીય કાર્યકારણીની જનલર સભામાં અને ત્રણ દિવસ વિશેષ રાષ્ટ્રીય સંમલન અને સાધારણ સભામાં મુકેશભાઇ મેરજાને ચીફ સેક્રેટરી અને ગુજરાત રાજય પ્રભારી તરીકે નિયુકત કરવામાં આવી છે. આ સંસ્થા દેશભરમાં 28 કરોડ પાટીદારોના ઉત્કર્ષ માટે કાર્ય કરે છે.મુકેશભાઇ મેરજાને રાષ્ટ્રીય સ્તરની અખીલ ભારતીય કૃર્મિ ક્ષત્રીય મહાસભામાં ચીફ સેકેટરી અને ગુજરાત પ્રભારી તરીકે નિયુકત કરવામાં આવતા વિશ્ર્વભરના કુર્મિ ક્ષત્રીઓ અને પાટીદારોએ મુકેશભાઇ મેરજાની વરણી વધાવી અભિનંદન આપ્યા હતા.

Advertisement

મુકેશભાઇ મેરાજાના મો. નં. 94267 37273 પર ચોમેરથી અભિનંદન મળી રહ્યા છે. સમસ્ત પાટીદાર સમાજ સંસ્થા દ્વારા રાજકોટ ખાતે માનવ કલ્યાણ મંડળ અને ‘બા’નું ઘર વૃઘ્ધાશ્રમ ચાલે છે. સમાજ ઉપયોગી સેવા જોઇ આ સંસ્થાની મુલાકાતે અખીલ ભારત કુર્મી (કણબી પાટીદાર) મહાસભા ના અઘ્યક્ષ નંદલાલ બધેલજી છતીસગઢ મુખ્યમંત્રીના પિતા  આવ્યા હતા. અને મુકેશભાઇ મેરજા, ગીતાબેન પટેલ, વિભાબેન મેરજા, મનુભાઇ મેરજા અને સંસ્થાના દરેક ટ્રસ્ટીઓ તેમજ બધા સભ્યોને ખુબ ખુબ અભિનંદન આપ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.