Abtak Media Google News

રણુજાનગરમાં સંસાર છોડી સન્યાસ ધારણ કરનાર કામાંધની બળાત્કારના ગુનામાં ધરપકડ

શહેરમાં એન્જીનીયરીંગ કોલેજમાં અભ્યાસ કરતી છાત્રાને પ્રોફેસરે પોતાની પ્રેમજાળમાં ફસાવી તેની ઉપર અવાર-નવાર દુષ્કર્મ ગુજાર્યાની ચોંકાવનાર આક્ષેપો સાથે મહિલા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. કોઠારીયા રોડ પર રણુજા મંદિર પાસે શ્યામપાર્કમાં રહેતા હવસખોરે છરીની અણીએ પરિણીતા પર દુષ્કર્મ ગુજાર્યાની ફરિયાદ નોંધાતા પોલીસે સુભાષનગરનો કામાંધ પ્રોફેસર અને રણુજાનગરના વાસનાંધની ધરપકડ કરી પુછપરછ હાથધરી છે.

પોલીસે સુત્રો પાસેથી મળતી પ્રાપ્ત વિગત અનુસાર એન્જીનીયરીંગની ભૂતપૂર્વ વિદ્યાર્થીનીને આમ્રપાલી રોડ સુભાષનગરમાં રહેતો પ્રોફેસર સિરાઝ બ્લોચે પ્રેમજાળમાં ફસાવી અનેક વખત શારીરિક શોષણ કર્યાની યુવતીએ આપવીતિ જણાવી હતી. યુવતીએ જણાવ્યું હતું કે, પ્રોફેસર સિરાઝ બ્લોચ રીલાયન્સ મોલમાં શો-‚મ ધરાવે છે. તેણે વિદ્યાર્થીની સાથે પાર્ટનરશીપમાં બીઝનેસ શ‚ કર્યો હતો. ત્યારબાદ સીરાઝ બ્લોચે જણાવ્યું હતું કે, પોતાની પત્નીને સંતાન ન થતા હોય અને પોતાના લગ્ન પણ બળજબરીથી કરાવ્યા હોય આવી રીતે સીરાઝ બ્લોચે પોતાની વિદ્યાર્થીનીને ફસાવી બિઝનેસ મીટીંગના બહાને પુના લઈ ગયો હતો અને ત્યાં હોટલમાં શારીરિક સંબંધ બાંઘ્યો હતો. બાદમાં રાજકોટ આવ્યા બાદ હોટલ લગુન રેજન્સીમાં ફરવા લઈ ગયો હતો અને ત્યાં પણ શારીરિક શોષણ કર્યું હતું. બાદમાં પોતાના ઘરે કોઈ હાજર ન હોવાથી તેણે તેના ઘરે ચારથી પાંચ વાર બોલાવી દુષ્કર્મ ગુજાયુર્ં હતું. વિદ્યાર્થીનીએ સિરાજ બ્લોચને લગ્ન કરવા માટે જણાવતા સીરાઝે ના કહી હતી. સીરાજે જણાવ્યું હતું કે તેણે તો ખાલી શારીરિક સંબંધ માટે જ તેની સાથે સંબંધ રાખ્યો હતો અને ધમકીઓ આપી હતી કે મારી લાઈફ છે હું જે કરુ તે કાંઈ સમજાવવાની જ‚ર નથી અને અભદ્ર વર્તન કર્યું હતું. યુવતીએ તપાસ કરતા જાણવા મળ્યું હતું કે, સિરાઝ બ્લોચે તેના સિવાય અન્ય ઘણી યુવતીઓની જીંદગી બરબાદ કર્યાનો યુવતીએ કર્યો હતો. મહિલા પોલીસ મથકમાં ફરિયાદમાં પોલીસે કામાંધ પ્રોફેસરની ધરપકડ કરી કાર્યવાહી હાથધરી છે અને તેણે બીજી કેટલી યુવતીઓને પોતાની હવસનો શિકાર બનાવ્યો છે. તે અંગે પુછપરછ હાથધરી છે.

શહેરના કોઠારીયા રોડ પર રહેતી પરિણીતા ત્રણેક માસ પહેલા બહેનપણીના ઘરે બેસવા માટે ગઈ હતી ત્યારે તેના પતિએ પોતાના મોબાઈલ આપ્યાનું કહી વાત કરવાનું કહેતા તેની સાથે વાત કરી હતી. થોડા દિવસ બાદ યુવતીને મળવા પણ બોલાવી હતી અને ધમકી આપી હતી કે તારો પતિ જયારે કયાંય કામથી બહાર જાવ તો મને ફોન કરીને જણાવજે નહીં બોલાવે તો તારા છોકરાને મારી નાખીશ. પરિણીતા ડરી ગઈ હતી. જયારે તેનો પતિ કોઈ કામ અર્થ બહાર ગયો હતો.

ત્યારે યુવતીએ ફોન કરી મયુર ગઢીયાને ઘરે બોલાવ્યો હતો. ઘરે આવ્યા બાદ પરિણીતા સાથે બળજબરી કરી હતી અને પરિણીતાએ વિરોધ કરતા મયુર ગઢીયાએ છરી બતાવી પોતાની હવસનો શિકાર બનાવ્યો હતો.

ત્યારબાદ મયુર ગઢીયાને બીજા દિવસે પરિણીતા બહારગામ ગયો હોય તેની જાણ થતા તે ફરીથી ઘરે આવી બળજબરી કરી હતી. થોડા દિવસ બાદ પરિણિતાના પતિના હાથમાં મયુર ગઢીયાએ આપેલું સીમકાર્ડ આવતા પરિણિતાએ પોતાની સાથે થયેલા દુષ્કર્મ વિશેની આપવીતી જણાવી હતી અને બંને ફરિયાદ કરવાનું વિચારી પોલીસ મથકે આવી મહિલા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવ્યા બાદ પોલીસે મયુર ગઢીયાની ધરપકડ કરી હતી અને તેની પુછપરછ કરતા તેણે આવુ કર્યાનો ઈન્કાર કર્યો હતો. તેણે પોલીસને એવું જણાવ્યું હતું કે પોતે તો સન્યાસ લઈ લીધો હોય અને પરિવારને મુકીને અલગ રહેતો હોવાનો બચાવ કર્યો હતો. પોલીસે સાચી વિગત મેળવવા તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.