Abtak Media Google News

ઝળહળતી સિઘ્ધિ બદલ અભિનંદન પાઠવતા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણી

ધો. ૧ર સાયન્સમાં ૯૯.૩૧ ટકા પર્સન્ટાઇલ રેન્ક સાથે પુજીત રૂપાણી ટ્રસ્ટના છાત્રો ઉતીર્ણ થયાં છે. સતત ર૦માં વર્ષે ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો વિઘાર્થીઓએ જાળવી રાખ્યો છે. આ ઝળહળતી સફળતા બદલ ટ્રસ્ટના ચેરમેન વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ તમામ વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવ્યા છે.

આર્થિક રીતે નબળા પરિવારોમાંથી આવતા પરંતુ ભણવામાં અત્યંત તેજસ્વી તેવા વિઘાર્થીઓને ધો.૮ થી ૧ર સુધીની તમામ પ્રકારની શૈક્ષણિક સુવિધાઓ વિનામૂલ્યે પુરી પાડતી સંસ્થા પુજીત રૂપાણી મેમો. ટ્રસ્ટના ધો.૧ર સાયન્સના લાભાર્થી છાત્રોએ તાજેતરમાં જાહેર થયેલા પરિણામોમાં ઉત્કૃષ્ટ ટકાવારી સાથે ઝળહળતી સફળતા મેળવી સતત ર૦માં વર્ષ ૧૦૦ ટકા પરિણામનો સિલસિલો જાળવી રાખ્યો છે. તમામ છાત્રોને મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તથા ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીએ અભિનંદન પાઠવી ઉચ્ચ કારકિર્દી માટેની શુભેચ્છા પાઠવી છે.

ધો.૧ર સાયન્સ એ ગ્રુપના વિઘાર્થીઓ વડગામા સિઘ્ધાર્થ, પરમાર દેવેન, ડોડીયા મનન, અકબરી ભાર્ગવ, જેઠવા હિતેષ, રાદડીયા યશએ ૯૯.૩૧ ટકા સુધી પર્સન્ટાઇલ રેન્ક મેળવી તથા બી ગ્રુપના વિઘાર્થીઓ કટારીયા નંદની, વાઢેર ભાર્ગવ, ખીમસુરીયા પૂર્વીશાએ ૯૨.૬૧ ટકા સુધી પર્સન્ટાઇલ રેન્ક મેળવી ટ્રસ્ટનું નામ રોશન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે ટ્રસ્ટ દ્વારા દતક લેવાતા બાળકોને ધો.૮ માં શહેરની શ્રેષ્ઠ સ્કુલોમાં એડમીશન અપાવી તેમનો ધો.૧ર સુધીનો તમામ શૈક્ષણિક ખર્ચ જેવો કે સ્કુલ ફી, પુસ્તકો, માર્ગદર્શિકાઓ, યુનિફોર્મ, બુટ, મોજા, દફતર સહિતનો તમામ ખર્ચ ટ્રસ્ટ ભોગવે છે. ઉપરાંત ટ્રસ્ટના ગ્રુપ ટયુશનની સુવિધા પણ પુરી પાડવામાં આવે છે, સ્કુલે જવા આવવા માટે સાયકલ પણ આપવામાં આવે છે તેમજ જ‚રૂર પડયે વિનામૂલ્યે આરોગ્ય સારવારનો ખર્ચ પણ ટ્રસ્ટ ભોગવે છે. છેલ્લા ર૦ વર્ષથી ટ્રસ્ટ દ્વારા ચલાવાતા જ્ઞાન પ્રબોધિની શૈક્ષણિક પ્રોજેકટના શરૂઆતની બેચના લાભાર્થી છાત્રો હાલમાં ડોકટર, એન્જીનીયર, અઘ્યાપક, ફાર્માસિસ્ટ સહિતની ડીગ્રીઓ મેળવી પગભર થઇ ચૂકયા છે. તથા પોતાના પરિવારના તારણહાર બની ગયા છે.

વિઘાર્થીઓના ઘડતરની વ્યકિતગત કાળજી લેવા માટે ટ્રસ્ટી અંજલીબેન રૂપાણીના માર્ગદર્શન હેઠળ અન્ય ટ્રસ્ટીઓ મહેશભાઇ ભટ્ટ, ડો. મેહુલભાઇ રૂપાણી, અમિનેષ રૂપાણી, પ્રોજેકટ ઇન્ચાર્જ અરવિંદભાઇ બગડાઇ તથા કમિટી મેમ્બર્સ જયેશભાઇ ભટ્ટ, હિંમતભાઇ માલવીયા, સી.કે. બારોટ, મીરાબેન મહેતા, ગીતાબેન તન્ના, ભારતીબેન બારોટ તથા હસુભાઇ ગણાત્રા જહેમત ઉઠાવે છે. વિશેષ માહીતી માટે વહીવટી અધિકારી ભાવેનભાઇ ભટ્ટનો  અથવા ફોનનં. ૦૨૮૧-૨૭૦૪૫૪૫ દ્વારા સંપર્ક સાધવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.