Abtak Media Google News

ગોંડલ સંપ્રદાયનાં તપસમ્રાટ પૂ. ગુરુદેવ શ્રી રતિલાલજી મ.સા. નાં સુશિષ્યા તથા ધ્યાન સાધક પૂજ્ય ગુરુદેવ  હસમુખમુનિ મ.સા. આજ્ઞાનુવર્તીની મુક્ત – લીલમ ભારતીબાઈ મ.સ. નાં સુશિષ્યા  બાલ બ્રહ્મચારી પૂ.  સાક્ષીબાઈ મ.સ. ( વિસાવદર નિવાસી માતુશ્રી મંગળાબેન મનસુખભાઇ સીનરોજા નાં સુપુત્રી ઉંમર વર્ષ 43,  દીક્ષા પર્યાય 10 વર્ષ ) સંથારા – આલોચના સહિત ચાર શરણ તથા નવકાર મહામંત્રની ધૂન શ્રવણ કરતાં કરતાં પૂ. પ્રિયદર્શનાબાઈ મ.સ. તથા પૂ. સુધાબાઈ મ.સ. ના સાનિધ્યમાં તા: 9/10/2022 ના રાત્રે 9:15 કલાકે શ્રી બૃહદ મુંબઇ સ્થા. જૈન આરાધનાધામ સંઘવી વૈયાવચ્ચ કેન્દ્ર વિલેપાર્લા મુંબઇ માં કાળધર્મ પામેલ છે.

Advertisement

તેમ ગોંડલ સંપ્રદાય ના  પ્રવિણભાઈ કોઠારી,  ચંદ્રકાંતભાઈ શેઠ, સુરેશભાઈ કામદાર, જીજ્ઞેશભાઈ વોરા તથા હરેશભાઈ વોરાની યાદી મા જણાવેલ છે. તેમ જ રાજકોટની અંદર સંઘોવતિ તથા પૂ. સાધુ સાઘ્વીજીઓ વતી સાધના ભવન ઉપાશ્રય-4 આફ્રિકા કોલોની રાજકોટ ખાતે તા. 11 ને મંગળવારના રોજ સવો 9.30 થી 10.30 કલાકે તપસ્વીની વનિતાબાઇ મહાસતીજી આદી ઠાણાના સાનિઘ્યમાં બાલ બ્રહ્મચારી સાક્ષીબાઇ મહાસતીજી ની ગુણનુવાદ ધર્મસભા રાખવામાં આવતા જૈન અગ્રણીસંઘ પ્રમુખો ટ્રસ્ટીઓ, શ્રાવક-શ્રાવિકાઓ વિ. ને અનુરોધ કરવામાં આવેલ છે તેમજ ગુજરાત રત્ન સુશાંતમુનિ મ.સા. એવમ રાષ્ટ્રસંત પરમ ગુરુદેવ નમુમુનિ મ.સા. ની પ્રેરણાથી આ ગુણાનુવાદ સભા રાખવામાં આવેલ છે તે સંઘ પ્રમુખ જીમીભાઇ શાહની યાદીમાં જણાવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.