Abtak Media Google News

લગ્નના ચાર માસમાં જ ત્રાસ દેતા ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યું: પતિ અને સાસુ સામે નોંધાતો ગુનો

રેલનગર નજીક આવેલા દયાનંદ સરસ્વતી ટાઉન શીપની પરિણીતાએ પતિ અને સાસુના ત્રાસથી કંટાળી ગળાફાંસો ખાઇ આપઘાત કરતા પોલીસે મૃતકના પતિ અને સાસુ સામે આપઘાતની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

Advertisement

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રેલનગર પાસે આવેલી સરસ્વતી ટાઉનશીપમાં રહેતી જયોતિબેન શૈલેષભાઇ પાણખાણીયા નામની પરિણીતાએ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ આપઘાત કર્યાનું પોલીસમાં નોંધાયું છે.

મૃતક જ્યોતીબેનના ચાર માસ પહેલાં શૈલેષ પાણખાણીયા સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ જ્યોતીબેનને પતિ શૈલેષ પાણખાણીયા અને સાસુ જમુનાબેન વાલજીભાઇ પાણખાણીયા ત્રાસ દેતા હોવાથી કંટાળી આપઘાત કર્યાની યોગીનગરમાં રહેતા જીજ્ઞેશભાઇ વલ્લભભાઇ આંબલીયાએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા મહિલા પોલીસ મથકના પી.એસ.આઇ. એમ.કે.દેસાઇ સહિતના સ્ટાફે શૈલેષ પાણખાણીયા અને તેની માતા જમુનાબેન પાણખાણીયા સામે આત્મહત્યાની ફરજ પાડવા અંગેનો ગુનો નોંધી તપાસ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.