Abtak Media Google News
  • ઘર નજીક બઘડાટી બોલતા જોવા જતા અજાણ્યા શખ્સોએ મારમાર્યો

રાજકોટ શહેરમાં ખાખીનો ખોફ ઓસરી રહ્યો હોય તેમ અવારનવાર નજીવા પ્રશ્ર્ને જીવલેણ હુમલાઓ થતા હોવાની અનેક ઘટનાઓ પ્રકાશમાં આવી છે ત્યારે વધુ એક બનાવ રૈયાધાર મફતિયાપરામાં મધરાત્રે પારકો ઝઘડો જોવા ગયેલા પિતા પુત્રો ઉપર અજાણ્યા શખ્સોએ છરી વડે તૂટી પડ્યા હતા. હુમલામાં ઘવાયેલા પિતા પુત્રોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

આ બનાવ અંગે પોલીસમાંથી જાણવા મળતી વિગત મુજબ રૈયાધાર મફતિયાપરામાં રહેતા મગનભાઈ હીરાભાઈ સરવૈયા, તેનો પુત્ર દિવ્યેશ મગનભાઈ સરવૈયા (ઉ.વ.21) અને રોનક મગનભાઈ સરવૈયા (ઉ.વ.19) રાત્રીના અગીયારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતા ત્યારે અજાણ્યા શખ્સોએ ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા પિતા પુત્રોને તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. યુનિવર્સીટી પોલીસ મથકનો સ્ટાફ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે દોડી આવ્યો હતો.

પ્રાથમિક પૂછપરછમાં ઇજાગ્રસ્ત દિવ્યેશ સરવૈયા અને તેનો નાનો ભાઈ રોનક સરવૈયા ટી.એન. રાવ કોલેજમાં અભ્યાસ કરે છે. અને પિતા પુત્ર મધરાત્રે પોતાના ઘરે સુતા હતા ત્યારે ઘર બહાર ઝઘડો થતો હોવાનો અવાજ આવતા ત્રણેય પિતા-પુત્ર ગયા હતા ત્યારે દારૂના નશામાં છરી વડે હુમલો કર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે આક્ષેપના પગલે યુનિવર્સિટી પોલીસે ઇજાગ્રસ્ત પિતા-પુત્રોની ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.