Abtak Media Google News

નવી બસ મિનિબસ જેવા કલરની જ હશે : મુસાફરોના ઘસારાને પણ પહોંચી વળાશે

ખડધજજ બસને બદલે દોડશે નવી નકકોર બસ

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એટલે કે ગુજરાત એસ.ટી. નિગમ માટે કાયમી ટંકશાળ સાબિત થયેલા રાજકોટ- મોરબી રૂટ ઉપર અંતે નિગમ દ્વારા ખખડધજજ બસોને બદલે નવી નક્કોર ૧૦ બસ ટુક સમયમાં જ દોડાવવા નક્કી કરાયું છે, આ નવી બસ મિનિબસ જેવા જ કલરની હશે.
પ્રાપ્ત વિગતો મુજબ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા એક મહત્વ પૂર્ણ નિર્ણય લઈ રાજકોટ – મોરબી વચ્ચે હાલમાં દોડતી જૂની ખખડધજજ બસ રિપ્લેસ કરી ૧૦ નવી એસટી બસો શરૂ કરવામાં આવશે.
હાલમાં એસટી નિગમ માટે સૌથી વધુ નફાકારક રૂટ હોવાથી રાજકોટ મોરબી વચ્ચે હાલના તબક્કે ૧૦ એસટી બસ રીપ્લેસ કરવામા આવશે અને મુસાફરોને વધુ સુવિધા પૂરી પાડવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, ખાનગી ટ્રાવેલ્સ અને અન્ય વાહનો સામે રાજકોટ – મોરબી રૂટ સૌથી વધુ ટક્કર આપી રહ્યો છે ત્યારે એસટી નિગમ દ્વારા રાજકોટ ડિવિઝન ખાતેથી ૧૦ મીની બસ જેવા કલરવાળી બસ ટુક સમયમાં જ દોડાવવામાં આવનાર હોવાનું સતાવાર સૂત્રોએ જણાવ્યું હતું.
રાજકોટ એસ.ટીના વિભાગીય નિયામક દિનેશ જેઠવાએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, રાજકોટથી મોરબી  અને મોરબીથી રાજકોટ જતા મુસાફરોનો ઘસારો વધુ જોવા મળે છે હાલ રાજકોટથી મોરબી કુલ 10 બસો દોડી રહી છે જેમાં ઘણી બસ મીની બસ છે અને આ બધી બસો 8 લાખ કી મી ચાલી ગઈ હોય જેને બદલે હવે નવી બસ મુકવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને આ બધી જ બસમાં 55 લોકો બેસી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે .જેને લઇને હવે મુસાફરોના ટ્રાફિકને પણ પહોંચી વળાશે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.