Abtak Media Google News

સુરીલી સંગીત સંધ્યા, સન્માન સમારોહ તથા સ્વરૂચી ભોજન સાથે ત્રિવિધ કાર્યક્રમો; મુખ્ય મહેમાન પદે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તથા પદાધિકારીઓ રહેશે ઉપસ્થિત

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સભ્યોનું સ્નેહમિલન યોજાનાર છે. જેમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરાયું છે.

રાજયનાં વેપાર ઉદ્યોગનાં સર્વશ્રેષ્ઠ સંગઠન પૈકીનું એક રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝના સભ્ય પરિવારનું પરંપરાગત વાર્ષિક સ્નેહમિલન આગામી તા.૧૬-૩ને શનિવારના રોજ સાંજે ૬ વાગ્યે રોયલ, સેફ્રોન પાર્ટી પ્લોટ, સપ્તપદી પાર્ટી પ્લોટ પાછળ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે યોજાનાર છે.

આ ભવ્ય સ્નેહમિલન કાર્યક્રમમાં લોકપ્રિય કલાકારો સાથે સ્નેહભરી સંગીત સંધ્યા, વિશિષ્ટ પ્રતિભાઓનો સન્માન સમારોહ તેમજ સ્વરૂચી ભોજન સાથે ત્રિવિધ કાર્યક્રમ યોજાશે. મુખ્ય મહેમાન પદે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી તેમજ અતિથી વિશેષ પદે સાંસદ મોહનભાઈ કુંડારીયા, મેયર બીનાબેન આચાર્ય, ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ, અરવિંદભાઈ રૈયાણી, લાખાભાઈ સાગઠિયા સહિતના મહાનુભાવો હાજરી આપી કાર્યક્રમની શોભા વધારશે. ભવ્યાતિભવ્ય સ્નેહમિલન સમારોહને ચાર ચાંદ લગાડવા સર્વે સભ્યોને પરિવારજનો સાથે ઉપસ્થિત રહેવા રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીઝ પ્રમુખ વી.પી. વૈષ્ણવ, ઉપપ્રમુખ પાર્થ ગણાત્રા, મંત્રી નૌતમ બારસીયા તથા કારોબારી સભ્યોએ હાર્દિક અનુરોધ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.