Abtak Media Google News

આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસે શહેરનાં નાગરિકોનો અવાજ બનવા બીન રાજકીય સંગઠનની ઘોષણા કરાશે:કાર્યકરો આગેવાનો અબતકની શુભેચ્છા મુલાકાતે

રાજકોટ નાગરિક હિતરક્ષક સમિતિ દ્વારા આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસને ધ્યાનમાં રાખી બીન રાજકીય સંગઠનની ઘોષણા કરવામા આવશે ૧૭ જુલાઈના રોજ શહેરનાં હેમુગઢવી હોલમાં રાજભા ઝાલાના નેતૃત્વમાં રાજકોટના નાગરીકોના હિતાર્થે આ સંગઠનની ઘોષણા કરવામાં આવશે આ તકે રાજકોટ નાગરિક હિતરક્ષક સમિતિના સંયોજક રાજભા ઝાલા, સહ સંયોજક, સહિતના કાર્યકરો આગેવાનોએ અબતકની શુભેચ્છા મુલાકાત લીધી.

આ અંગે રાજભા ઝાલાએ જણાવ્યું કે રાજકોટના નાગરીકોને મુંઝવતા પ્રશ્ર્નોનો અવાજ બનવા માટે આ સંગઠનની ઘોષણા કરવામાં આવશે જાગૃત નાગરીકોનો અવાજ બની તેમને યોગ્ય રીતે ન્યાય અપાવવા માટે આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસે આ સંગઠનની ઘોષણા કરવામાં આવશે.

૧૭ જુલાઈના રોજ સવારે ૧૧.૩૦ કલાકે હેમુગઢવી હોલ, મીની ઓડીટોરીયમ ખાતે આ ઘોષણા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.