Abtak Media Google News

શહેરમાં વધુ એક પ્રેમીએ લગ્નની લાલચ આપી પ્રેમિકાને હવસનો શિકાર બનાવ્યા હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાય છે.જેમાં ઘનશ્યામ નગરમાં આવેલ મફતિયા પારામાં રહેતા સંજય મંગાભાઈ સોદરવા નામના નરાધમે યુવતીને લગ્નની લાલચ આપી ત્રણ વર્ષ સુધી બળાત્કાર ગુજાર્યા બાદ તરછોડી દેતા તેના વિરૂદ્ધ પોલીસમાં ફરિયાદ નોધાઇ છે.

વિગતો મુજબ યુવતીની ફરિયાદમાં જણાવ્યું હતું કે, સંજય પાડોશમાં રહેતો હોવાથી તેની સાથે ચાર વર્ષથી પ્રેમસંબંધ હતો. બંને અવારનવાર વાતચીત કરતા તેમજ મળતા પણ હતા. દરમિયાન તા.15-10-2020ની મોડી રાતે સંજયે પોતાને મળવા માટે તેના ઘરે બોલાવી હતી.જ્યાં સંજય પોતાની સાથે લગ્ન કરશે તેમ કહી વિશ્વાસ કેળવી બળજબરી કરી દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ વારંવાર સંજય તેના ઘરે બોલાવી લગ્ન કરીશુંની વાત કરી પોતાની સાથે શારીરિક સંબંધ બાંધતો હતો.

ત્રણ વર્ષ સુધી અવાર – નવાર બળાત્કાર ગુજાર્યા બાદ તરછોડી દેતા પોલીસમાં નોંધાતા ગુનો

આમ ત્રણ વર્ષ સુધી ચાલ્યા બાદ શનિવારે ફરી બંને મળ્યા ત્યારે સંજયે લગ્ન કરવાની સ્પષ્ટ ના પાડી દીધી હતી. જેથી સંજયે વિશ્વાસઘાત કરી અનેક વખત દુષ્કર્મ આચર્યાની તેણીએ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે સંજય સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથધરી છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.