Abtak Media Google News

માર્જીન-પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા છાપરાઓનો દબાણ દૂર કરી 500 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઇ

વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત આજે કોર્પોરેશન દ્વારા શહેરના સામાકાંઠા વિસ્તારમાં ભાવનગર રોડ પર ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. જે અંતર્ગત ખાદીગ્રામોદ્યોગ ભવન સહિત કુલ 7 સ્થળોએ માર્જીન-પાર્કિંગની જગ્યામાં ખડકાયેલા દબાણો હટાવી 500 ચો.મી. જમીન ખૂલ્લી કરાવાઇ હતી.

આ અંગે વધુ માહિતી આપતાં ટાઉન પ્લાનિંગ ઓફિસર એમ.ડી.સાગઠીયાએ જણાવ્યું હતું કે વન વીક, વન રોડ ઝુંબેશ અંતર્ગત ટાઉન પ્લાનિંગ શાખા દ્વારા શહેરના વોર્ડ નં. 4, 5, 6 અને 15માં સમાવિષ્ટ એવા ભાવનગર રોડ પર ઓપરેશન ઓટલા તોડ હાથ ધરવામાં આવ્યું હતું.

જેમાં ખાદીગ્રામોદ્યોગ ભવન, ચામુંડા સેલ્સ, ગુર્જર પ્રજાપતિ, પ્રગાશ મંડળ, દિવ્યા હોમ એપ્લાઇન્સીઝ, શિવમ પ્રિન્ટિંગ પ્રેસ, શિવ પાન એન્ડ કોલ્ડ્રીક્સ તથા ઉત્સવ ફર્નીચર દ્વારા માર્જીન તથા પાર્કિંગમાં ખડકાયેલા છાપરાના દબાણો દૂર કરી આશરે 500 ચો.મી. જમીન ખૂલ્લી કરાવવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.