Abtak Media Google News

સાદાઈ છતાં ગરીમાપૂણે વૈરાગ્યમય માહોલમાં દીક્ષા મહોત્સવ ઊજવાયો

ગોંડલ સંપ્રદાયના આદ્ય સ્થાપક આચાર્ય ભગવંત પૂ.ડુંગર સિંહજી મ.સા.ની ૧૯૭ મી પૂણ્ય તિથીના પાવન એવમ્ પવિત્ર દિવસે તા.૨૯/૪/૧૮ ના રોજ રાજકોટ ઋષભદેવ સંઘને આંગણે એક મુમુક્ષુ આત્મા મોક્ષાર્થી બન્યાં.

ગોંડલ સંપ્રદાયના પૂ.ગુરુદેવ રાજેશમુનિ મ.સા.આદિ ઠાણા ૫ એવમ્ સાધ્વી રત્ના પૂ.પુષ્પાબાઈ મ.સ.આદિ ઠાણા  ૧૩ ના પાવન સાનિધ્યમાં ઋષભદેવ સંઘ રાજકોટ ખાતે ” શાશ્ર્વત ” એપાટેમેન્ટના પરીસરમાં વિશાળ પ્રમાણમાં શ્રાવક – શ્રાવિકાઓની ઉપસ્થિતિમાં આદશે વૈરાગી રેખાબેન મહેતા ( ઉંમર વષે ૬૬ )નો સંયમ મહોત્સવ સાદાઈ છતાં ગરીમાપૂણે ભવ્ય અને વૈરાગ્યમય માહોલમાં  ઉજવાય ગયો.

પાખીના પવિત્ર દિવસે બરોબર ૧:૦૦ વાગ્યે શાશ્ચત એપાટેમેન્ટ ખાતે સૌ સંયમ પ્રેમીઓ સામાયિક લઈને બેસી ગયેલ.ચિંતનભાઈ દોશીએ એક અલગ અંદાજમા અનોખી પ્રસ્તુતિ કરેલ અને સૌને ભૂતકાળમાં આ જીવે પણ સંયમ ધમે અંગીકાર કરેલો હતો તેવી સ્મૃતિ કરાવેલ અને આ ભવમાં વહેલા – વહેલા સંયમ ઉદયમાં આવે તેવા શુભ ભાવ કરાવેલ.આદશે વૈરાગી રેખાબેન વેશ પરીવતેન કરીને આવતા ” કમ કમ દીક્ષાર્થી…વેલકમ વેલકમ દીક્ષાર્થીના નાદ ગૂંજી ઊઠેલ.

નૂતન દીક્ષિત આત્માની વડી દીક્ષા માટે આનંદ નગર સંઘના દીપકભાઈ મોદી,ઋષભદેવ સંઘવતી બિપીનભાઈ પટેલ,ગુરુકુળ જામનગર રોડ વતી અશોકભાઈ કોઠારી ,જુનાગઢ સંઘવતી હિતેશભાઈ સંઘવી,જામનગર સંઘ વગેરે સંઘોએ વિનંતી કરેલ. આગામી રવિવારે સવારના ૮:૪૫ કલાકે નૂતન દીક્ષિત પૂ.ઋજ્જુતાજી મ.સ.ની વડી દીક્ષા ઋષભદેવ સંઘમાં શાશ્ર્વત એપાટેમેન્ટ રાજકોટ ખાતે યોજાશે તેમ પૂ.ગુરુદેવ રાજેશ મુનિ મ.સા.ઉદ્ ઘોષણા કરેલ.બરોબર ૨:૪૯ મિનિટે નૂતન દીક્ષિત પૂ.ઋજ્જુતાજી મહાસતિજીએ ભાવિકોને ધાર્યા પ્રમાણે પચ્ચખાણ કરાવેલ અને માંગલિક ફરમાવેલ.

આ પાવન પ્રસંગે રાજકોટના એડિશનલ કલેક્ટર હષેદભાઈ વોરા,આર.ટી.ઓ. ના અધિકારી જે.વી.શાહ, મુંબઈના જયકાંતભાઈ, રાજકોટના વિરેન્દ્રભાઈ દસાડીયા, જયંતિભાઈ મોદી,પ્રદીપભાઈ  મોટાણી, કનુભાઈ બાવીસી,પ્રતાપભાઈ મહેતા, એડવોકેટ જિગ્નેશભાઈ શાહ, જૈન સાહિત્યકાર મનોજ ડેલીવાળા, તપસ્વી સ્કુલના અમિષભાઈ દેસાઈ,મનોજભાઈ શાહ,જયંતિભાઈ નિકાવાવાળા, જીવદયા પ્રેમી રાજુભાઈ શાહ, યોગેશભાઈ શાહ ઉપરાંત મુંબઈ, જામનગર, જૂનાગઢ, કાલાવડ, ગઢડા સહિતના અનેક ગામોના શ્રાવક – શ્રાવિકાઓ વિશાળ પ્રમાણમાં ઉપસ્થિત રહી સંયમ માગેની અનુમોદના કરેલ.દીક્ષા મહોત્સવ માણવા આવેલ સૌના મુખ ઉપર મુહપત્તિ ધારણ કરેલું દ્રશ્ય અદભૂત લાગતું હતું.

નહીં માઈક,નહીં મુવી એકદમ સાદાઈથી આરંભ – સમારંભ વગર વૈરાગ્ય મય માહોલમાં દીક્ષા મહોત્સવ સંપન્ન થયેલ.ઋષભદેવ સંઘના દીપકભાઈ મોદી, પરેશભાઈ પટેલ,બિપીનભાઈ પટેલ, ભાવિનભાઈ દોશી, ભાવેશભાઈ દોશી,ચિંતનભાઈ દોશી,પ્રતિકભાઈ કામદાર વગેરે શાસન પ્રેમીઓની સેવા અનુમોદનીય હતી.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.