Abtak Media Google News

બાળકો અને મોટેરાઓને પણ પોતાના તરફ આકર્ષિત કરતા કુદરતના અતિ માસુમ, સુંદર અને રમતીયાળ એવા ટચુકડા પક્ષી ચકલીની પ્રજાતિના રક્ષણ માટે સૌએ શકય તમામ પ્રયત્ન કરવા જોઈએ. અગાઉના સમયમાં ઘરના આંગણામાં કુડા-કુદ, ઉડા-ઉડ અને ચી ચી ચી ની કલરવ કરીને ઘરના માહોલને મનભાવન બનાવી નાખતી ચકલીઓ અત્યારે ભાગ્યેજ જોવા મળે છે. ત્યારે ચકલીઓને ફરી એક વખત આપણા આંગણે રમતી કરવા માટે મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષની માફક આ વર્ષે પણ ૨૦-માર્ચ ‘સ્પેરો-ડે’ અંતર્ગત આજ તા.૧૮/૦૩/૨૦૧૮ સેન્ટ્રલઝોન કચેરી ખાતે મેયર ડૉ.જૈમન ઉપાધ્યાયનાં અધ્યક્ષ સ્થાને વિનામુલ્યે ચકલીના માળા અને પાણીના કુંડાનાં વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવેલ. જેનો શુભારંભ પૂર્વ મેયર જનકભાઈ કોટકના વરદ હસ્તે કરાયો.

આ પ્રસંગે રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, શહેર ભાજપ પુર્વ પ્રમુખ નીતિનભાઈ ભારદ્વાજ, અનુસુચિત જાતિ મોરચાના રાષ્ટ્રીય મંત્રી ભાનુબેન બાબરીયા, ડે.મેયર ડૉ.દર્શિતાબેન શાહ, વિપક્ષ નેતા વશરામભાઈ સાગઠીયા, શાશક પક્ષ દંડક રાજુભાઈ અઘેરા, બાગ બગીચા અને ઝૂ કમિટી ચેરમેન દેવુબેન જાદવ આરોગ્ય કમિટી ચેરમેન મનીષભાઈ રાડીયા, વોટર વર્કસ કમિટી ચેરમેન દલસુખભાઈ જાગાણી, માર્કેટ કમિટી ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા, કાયદો અને નિયમોની કમિટી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, શિશુ કલ્યાણ ખાસ ગ્રાંટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામકદળ કમિટી ચેરમેન જાગૃતિબેન ઘાડીયા, કોર્પોરેટર બીનાબેન આચાર્ય,  અંજનાબેન મોરજરીયા, જ્યોત્સનાબેન ટીલાળા, શિક્ષણ સમિતિ સભ્ય મુકેશભાઈ મહેતા, તેમજ પૂર્વ કોર્પોરેટર શામજીભાઈ ચાવડા, રસીકભાઈ પટેલ, પ્રવિણભાઈ કિયાડા, ભાજપ અગ્રણીઓ વંદનાબેન ભારદ્વાજ, મનસુખભાઈ જાદવ, ગૌતમભાઈ ગોસ્વામી, કરુણા ફાઉન્ડેશન અને એનિમલ હેલ્પલાઈન વાળા મિતલભાઈ ખેતાણી, નવરંગ ક્લબના ભરતભાઈ સુરેજા તથા રાજકોટ મહાનગરપાલિકાનાં સેક્રેટરી એચ.પી.રૂપરેલીઆ, ડે.સેક્રેટરી સી.એન.રાણપરા, આસી.મેનેજર અમિત ચોલેરા, પી.એ.ટુ ડે.મેયર હસમુખભાઈ વ્યાસ, રાજુભાઈ દૂધરેજિયા, જયદિપ પરમાર તેમજ બહોળી સંખ્યામાં પક્ષીપ્રેમીઓ ઉપસ્થિત રહ્યા હતાP

આ કાર્યક્રમના ઉદઘાટક અને પૂર્વ મેયર શ્રી જનકભાઈ કોટકે જણાવેલ છે કે, ઘર આંગણાનું આ પક્ષી કાળ ક્રમે લુપ્ત થાવાની અણી ઉપર હતું ત્યારે રાજકોટ મહાનગરપાલિકાએ સૌપ્રથમ વખત નાણાકીય બજેટમાં ચકલીના માળા માટે જોગવાઈ કરી અને ત્યારથી આજ દિન સુધી દર વર્ષે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરીજનોને ચકલીના માળા અને કુંડાનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવે છે. ભારતભરમાં કદાચ રાજકોટ મહાનગરપાલિકા એકમાત્ર એવી મહાનગરપાલિકા છે કે જે ચકલીનાં માળા માટે બજેટમાં જોગવાઈ કરે છે. શરૂ કરેલ આ પ્રથાને અવિરત ચાલુ રાખવા બદલ મહાનગરપાલિકાનાં તમામ હોદ્દેદારશ્રીઓને હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું.

આ પ્રસંગે મેયર ડૉ.જૈમનભાઈ ઉપાધ્યાયએ જણાવ્યું હતું કે, વિશ્વભરમાં અત્યારે આતંકવાદ અને પર્યાવરણનું રક્ષણ એ બે મુખ્ય પ્રશ્નો છે ત્યારે ઘર આંગણાનું નાનકડું પંખી ચકલી જીવ જંતુ, ઈયળ વિગેરેનો ખોરાક તરીકે ઉપયોગ કરે છે જેને લીધે રોગચાળો ફેલાવાની શક્યતા નહીવત રહે છે. સાથો સાથ પર્યાવરણની સમતુલા પણ જળવાઈ રહે છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચકલીના માળા વિનામુલ્યે વિતરણ કરવા માટેના અમારા પ્રેરણા સ્ત્રોત પૂર્વ મેયર જનકભાઈ કોટક છે. વિશેષમાં, પાણીના કુંડા નિયમિત સાફ કરવા અને તડકો કે વરસાદ ન પડે તેવી જગ્યાએ તેમજ બિલાડી ન પહોચી શકે તેવી ઉંચી અને સુરક્ષિત જગ્યાએ ચકલીના માળાને ગોઠવવા અપીલ કરી હતી.

ઉપસ્થિત મહાનુભાવોના વરદ હસ્તે પક્ષી પ્રેમીઓને માળા આપી ચકલીના માળા વિતરણ કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવેલ.

આ પ્રસંગે બાહોળી સંખ્યામાં ઉપસ્થિત શહેરીજનોને તેમજ પર્યાવરણ પ્રેમીઓને માટીના માળા, પ્લાસ્ટિક કોટેડ માળા, પાણીના કુંડા વિગેરે મળી ૮૦૦૦ થી વધુ જેટલા માળાઓનું વિનામુલ્યે વિતરણ કરાયું હતું. સવારથી જ પક્ષી પ્રેમીઓ ઉપસ્થિત રહેલ હતા. આ કાર્યક્રમનું સંચાલન ડે.સેક્રેટરી અને પી. એ. ટુ મેયર કે.એચ.હિંડોચાએ કરેલ હતું.

આ કાર્યક્રમને સફળ બનાવવા ખોડીદાસ સિંધવ, કલ્પેશ ગોહેલ, કૌશિક સોલંકી, રમેશ પરમાર, વિશાલ સોઢા, દિલીપ નકુમ, રામભાઈ, અશોકભાઈ, રાજુભાઈ, જયપાલસિંહ, તેમજ વીજીલન્સનાં પોલીસ કર્મચારીઓ તેમજ સિક્યોરીટીનાં ભાઈઓ બહેનો તેમજ પ્રદ્યુમન પાર્ક પ્રાણી સંગ્રહાલયનાં સ્ટાફ વિગેરેએ માળા વિતરણ વ્યવસ્થામાં જાહેમત ઉઠાવેલ.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.