Abtak Media Google News

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ઈડબ્લ્યુએસ-૧ ના ૧૬૪૮ અને ઈ  ડબ્લ્યુએસ-૨ના ૧૬૭૬ તથા એમઆઈજી કેટેગરીના ૮૪૭ સહિત કુલ  ૪૧૭૧ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે.કોરોના મહામારીને ધ્યાનમાં રાખી આ આવાસોનું ફોર્મ મેળવવા અને પરત કરવાની મુદતમાં આગામી તા.૧૯ જૂન સુધીની મુદત રાખવામાં આવી હતી. જેમાં  ૨૦ દિવસનો વધારો કરવામાં આવ્યો છે.હવે  ૯ જુલાઈ સુધી ફોર્મ મેળવી પરત આપી શકાશે.

આઈસીઆઈસીઆઈ બેંક અને સિવિક સેન્ટર પરથી ફોર્મ મળશે અને પરત આપી શકાશે:૯ જુલાઈ સુધી ફોર્મ સ્વીકારશે

આવાસના ફોર્મ મેળવવા તથા ભરીને આપવા માટે આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી શાખાઓ તેમજ રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટરમાં વ્યવસ્થા કરવામાં આવી છે.

આ અંગે  મેયર ડૉ.પ્રદિપ ડવ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઈ પટેલ, મ્યુનિસિપલ કમિશનર ઉદિત અગ્રવાલ, હાઉસિંગ કમિટી ચેરમેન વર્ષાબેન રાણપરાએ જણાવ્યુ છે કે, યાદીમાં જણાવે છે કે, ર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ હાલ અલગ-અલગ કેટેગરીના ૪૧૭૧ આવાસોનાં બાંધકામની કામગીરી ચાલુ છે. આ આવાસોનું ફોર્મ વિતરણ તથા ભરીને પરત આપવા  મુદત આજે પૂર્ણ થતી હતી.સજે ૨૦ દિવસની મુદત લંબાવવામાં આવીછે

લોકો ઘરના ઘરનો લાભ લઇ શકે તેવા હેતુથી વિશેષ અગામી તા.૯ જુલાઈ સુધી ફોર્મ મેળવવાની અને પરત કરવાની મુદતમાં વધારો કરવામાં આવેલ છે. આ ફોર્મ મેળવવા શહેરની આઈ.સી.આઈ.સી.આઈ. બેંકની જુદી જુદી ૬ શાખાઓમાં જેવી કે, શારદાબાગ, પેલેસ રોડ, રણછોડનગર, નિર્મળા રોડ, એસ્ટ્રોન ચોક, નાણાવટી ચોક, તથા રાજકોટ મહાનગરપાલિકાનાં તમામ સિવિક સેન્ટર મારફત મળશે અને ત્યાં જ ભરીને આપી શકાશે.ઈ ડબ્લ્યુ એસ-૧નાં આવાસની કિંમત રૂ.૩ લાખ અને ફોર્મ સાથે રૂ.૩૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.ઈ ડબ્લ્યુ એસ-૨નાં આવાસની કિંમત રૂ.૫.૫૦ લાખ અને ફોર્મ સાથે રૂ.૧૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.

એમ આઈ જી નાં આવાસની કિંમત રૂ.૨૪ લાખ અને ફોર્મ સાથે રૂ.૨૦,૦૦૦ ડીપોઝીટ ભરવાની રહેશે.તમામ સિવિક સેન્ટરએ આવાસ યોજનાનાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી સાંજે ૦૩:૦૦ કલાક સુધીનો રહેશે તેમજ આઈ.સી.આઈ.સી.આઈ. બેંકમાં ફોર્મ વિતરણનો સમય સવારે ૧૦:૩૦ થી બપોરે ૩ વાગ્યા સુધીનો રહેશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.