Abtak Media Google News

રાજકોટમાં ભગવતીપરા નજીક સુખસાગર સોસાયટીમાં સસરાની ઘરે ગયેલા યુવાન અને તેના ભાઈ પર સસરા અને બે સાળાએ છરીના ઘા ઝીંકી જીવલેણ હુમલો કર્યો હતો. જેથી તેઓને ગંભીર ઈજા પહોચતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. જેથી બીવીઝન પોલીસમાં ફરિયાદ નોંધાતા બંને વિરૂધ્ધ ગુનો નોધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ મજુરીકામ કરતો અને નરસંગપરામાં રહેતો મયુર દિનેશભાઈ નારોલા ઉ.26 નામના યુવાનની પત્ની સાથે માથાકૂટ થતા તે સુખસાગર સોસાયટીમાં રહેતા માવતરના ઘરે રીસામણે ચાલી ગઈ હતી. જેથી મયુર તેના સાસરીયાના ઘરે વાતચીત કરવા માટે ગયો હતો. અને બાદ સામાન્ય વાતચીત કરી તે ઘરે ચાલ્યો ગયો હતો.

તે દરમિયાન આજ સવારે મયૂર અને તેનોભાઈ યોગેશ સાથે તેના સસરાના ઘરે ગયો હતો. ત્યારે વાતચીત કરતા સસરા અને બે સાળાએ બંને ભાઈઓને વાત કરતા કહ્યું કે, મારી દીકરીને શું કામ હેરાન કરો છો? જેમાં મામલો બગડતા સસરા ચકુભાઈ પરમાર તેના બે પુત્રો મયુર ઉર્ફે ગડુ અને નરેન્દ્ર ઉર્ફે અવલ એમ ત્રણેય લોકો ગાળો બોલવા લાગ્યા હતા અને ઉશ્કેરાઈને તેઓએ બંને ભાઈઓ પર છરીના ઘા ઝીકી ખૂની હુમલો કર્યો હતો/

જેથી તેમને ગંભીર ઈજા પહોચતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. અને બંને ભાઈઓની હાલત ગંભીર છે.જેઓની ફરિયાદ પર સસરા અને બંને સાળાઓ વિરૂધ્ધ બી.ડીવીઝન પોલીસમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.