Abtak Media Google News

રાજકોટવાસીઓ માટે તેમના શહેરમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ જવેલરી અને ડિઝાઈનર ગારમેન્ટ્સ એક્ઝિબિશન આવી ગયું છે. વર્લ્ડક્લાસ જવેલરી સાથોસાથ પ્રથમ વખત રાજપુતાના પોશાક અને નવરાત્રી માટે ખાસ ગારમેન્ટ્સ રુકસાન દાસ્તાન રાજકોટના આંગણે બે દિવસનું એક્ઝિબિશન લઈને આવ્યું છે. જેનો 22 સપ્ટેમ્બરથી રાજકોટની પ્રખ્યાત સયાજી હોટેલ ખાતે રંગારંગ પ્રારંભ થશે.

રૂખશાર દાસ્તાનનું એકઝીબીશન ખૈલેયાઓને ડ્રેસ, ઝવેલરી, મેકઅપની અનેક વિધ પ્રોડકશન માટે વન સ્પોટ ડેસ્ટીનેશન બનશે

કારા એકઝીબીશનમાં ગોલ્ડ અને ડાયમંડ જ્વેલરી, ડિઝાઇનર ગારમેન્ટ્સ, એસેસરીઝ, હોમ ડેકોરની પ્રોડક્ટસમાં અવનવી વેરાઈટીનો ખજાનો ઉપલબ્ધ થશે. આ વખતે રાજકોટવાસીઓ માટે પ્રથમવાર રાજપુતાના પોશાક અને નવરાત્રી માટેના ખાસ ગાર્મેન્ટ્સ લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બનશે.

રંગલા શહેરીજનો માટે સૌ પ્રથમવાર નવરાત્રીને રોનકમય બનાવવા સયાજી હોટલમાં થશે એકઝીબીશન

રીયલ જ્વેલરીમાં કે આર સન્સ, સી મનસુખલાલ, પિના જવેલર્સ, રંગવાલા રજવાડી પોશાક ઘર તેમજ  પોપ્યુલર જવેલર્સ પોતાનું યુનિક કલેક્શન પ્રદર્શિત કરશે. ત્યારે ડિઝાઇનર કલેક્શન માટે જાણીતા  મુંબઈ કોચર, નોટ જસ્ટ ટ્રીવીયા, પશમીના, હેત્વી રાજન, હેત્વી ફળદુ,  નેઇલ આર્ટ અને સ્પેશ્યલ ઈન બંડેજ અંબાદલની વિવિધ બ્રાન્ડમાં ડિઝાઇનર કલેક્શન ઉપલબ્ધ હશે. તથા આરવ હોમ ડેકોરની વિવિધ પ્રોડક્ટ્સમાં વિશાળ રેન્જ જોવા મળશે.

એક્ઝિબિશનના વૈભવના સાક્ષી બનવાની આ અનોખી તક  22મી અને 23મી સપ્ટેમ્બરે રાજકોટમાં હોટેલ  સૈયાજી ખાતે આ એકઝીબીશનનું સમગ્ર આયોજન રૂક્સાર દાસ્તાન દ્વારા કરવામાં આવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.