Abtak Media Google News

બે ઉપવાસીઓની તબીયત નાદુરસ્ત એક મહિલાઓ ગુમાવ્યો જીવ

રાજુલા તાલુકાના દરીયા કાંઠા વિસ્તારના પીપાવાવ ધામના સરપંચ તથા ૨૫૦ થી ૩૦૦ ગ્રામજનો છેલ્લા ૪૬ દિવસથી જીએચસીએલ કંપની અને ભૂમાફીયાઓના કબજામાંથી ગામની જમીન મુકત કરાવવા માટે રાજુલા પ્રાંત કચેરી સામે ઉપવાસ આંદોલન કરી રહ્યા છે.

Advertisement

તેમજ પાંચ વ્યકિતઓ છેલ્લા ૩૪ દિવસથી આમરણાંત ઉપવાસ કરી રહ્યા છે. તેમાંના બે વ્યકિત મધુભા સાંખટ અને બાબુભાઇ સાંખટની તબિયત નાદુરસ્ત છે, શાંતુબેન ચોથુભાઇ સાંખટ ફૂલીબેન નથુભાઇ ગુજરીયા બન્ને મહિલા સહીત તમામ ૪ દિવસથી રાજુલા સરકારી હોસ્પિટલમાં દાખલ છે.

આ આંદોલનમાં અગાઉ એક મહીલા ઉપવાસીઓ જીવ ગુમાવ્યો છે. ત્યારે જે રીતે ગામજનોને ન્યાય કરવામાં નિષ્ક્રીયતાને જોતાં હજુ સરકાર બીજા ઉપવાસીઓના જીવ લેવાની રાહમાં હોય તેવું લાગી રહ્યું છે. પીપાવાવ ધામના ગામજનોને વહેલી તકે ન્યાય મળે તે માટે અખીલ ભારતીય યુવા કોળીકોરી સમાજ દ્વારા સુરત કલેકટર ને આવેદનપત્ર આપી રજુઆત કરવામાં આવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.