Abtak Media Google News

સિરસાના પત્રકાર રામચંદ્ર છત્રપતિની હત્યા મામલે પંચકૂલાની વિશેષ સીબીઆઈ કોર્ટે ડેરા સચ્ચા સૌદાના પ્રમુખ ગુરમીતસિંહ રામ રહીમને દોષી જાહેર કર્યો છે. સજાનું એલાન 17 જાન્યુઆરીએ કરવામાં આવશે.

રોહતકની સુનારિયા જેલમાં બંધ ડેરા પ્રમુખ ગુરમીતસિંહને વીડિયો કોન્ફરન્સથી હાજર કરાયો હતો. આ ચુકાદાને ધ્યાનમાં રાખીને ડેરા સચ્ચા સૌદા, સુનારિયા જેલ અને વિશેષ અદાલતની બહારે સુરક્ષાની સઘન વ્યવસ્થા કરવામાં આવી હતી.

તેમજ પંજાબ અને હરિયાણા પોલીસને પણ એલર્ટ રાખવામાં આવી હતી. આ કેસમાં પણ જજ જગદીપ સિંહ જ ચુકાદો સંભળાવ્યો. આ જજે જ સાધ્વી યૌન શોષણ કેસમાં રામ રહીમને સજા સંભળાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.