Abtak Media Google News

રાજકોટ પતંજલિ યોગ સમિતિના રાજકોટ જીલ્લાના પ્રભારી નટુભાઈ ચૌહાણની યાદીમાં જણાવ્યું છે કે યોગઋષિ સ્વામી રામદેવજીના શિષ્યા સાઘ્વી દેવાદિતિજી સૌરાષ્ટ્રના પ્રવાસે આવ્યા છે ત્યારે તા.૩૦ અને ૧ (રવિ-સોમ)ના રોજ બંને દિવસ સવારે ૬ થી ૭:૩૦ વાગ્યા સુધી વિનામૂલ્યે ધ્યાન શિબિરનું આનંદનગર કોલોની પાસેના હસનવાડી મેઈન રોડ પરના મનપાના મેદાન ખાતે શિબિરનું આયોજન કરાયું છે.

Advertisement

ભારત સ્વાભિમાન ટ્રસ્ટના પશ્ર્ચિમ ગુજરાતના પ્રાંતપ્રભારી લક્ષ્મણભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શિબિર યોજાઈ રહી છે. જેને સફળ બનાવવા ધારેશ્ર્વર યોગ મિશનના યોગ ગુરુ કિશોરભાઈ પઢીયાર, નિશાબેન ઠુંમર, પદ્માબેન રાચ્છ, હર્ષદભાઈ યાજ્ઞિક, ગીતાબેન સોજીત્રા, જગદીશભાઈ ભાલારા વગેરે જહેમત ઉઠાવી રહ્યા છે. તેમજ પતંજલિ યોગપીઠના સાઘ્વીજી દેવાદીતીજી રાજકોટ આવી પહોંચતા પતંજલિ પરિવારના નટુભાઈ ચૌહાણ, હંસરાજ પટેલ, સંજયભાઈ પટેલ, નયનાબેન રાજયગુરુ, દીલાબા સરવૈયા, નિશાબેન ઠુંમર, મમતાબેન ગુપ્તા ,ભાવીષાબેન ગોહેલ, જયોતિબેન પરમાર, ગીતાબેન સોજીત્રા, મિતલબેન સોરઠીયા, બીનાબેન ધકાણ, પાયલબેન સોની વગેરેએ પુષ્પગુચ્છથી સ્વાગત કર્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.