Abtak Media Google News

રાજકોટ શહેરને પીવાનું પાણી પૂ‚ પાડતો આજી ડેમ અત્યારે મહદ અંશે ખાલી છે પરંતુ આંખોને ખટકતું આ દ્રશ્ય હવે ભવિષ્યમાં કદાચ ક્યારેય જોવા ની મળે. ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સૌની યોજના હેઠળ નર્મદા નીર આજી ડેમમાં ઠાલવવા માટેનો પ્રોજેક્ટ પૂર્ણ વાના આરે છે અને નર્મદાના નીરના અવતરણની ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજે આજી ડેમમાંી કચરો સાફ કરવા માટે આજે સફાઈ ઝુંબેશ હા ધરવામાં આવેલ હતી તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું. આજે સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ શાખા દ્વારા ૨૫ સફાઈ કામદારો, સુપરવાઈઝર, નાયબ પર્યાવરણ ઈજનેર  પ્રજેશ સોલંકી, એસ.એસ.આઈ. ભરત ટાંક વગેરેની ટીમ સવારી જ આજી ડેમ ખાતે પહોંચી ગઈ હતી. સફાઈ કામદારોએ ડેમમાંી આશરે અઢી ી ત્રણ ટન જેટલો કચરો બહાર કાઢ્યો હતો. મ્યુનિ. કમિશનરએ વિશેષમાં ઉમેર્યું કે, નર્મદાના નીરનું આજી ડેમ ખાતે આગમન નાર છે ત્યારે લોકો પણ આગામી દિવસોમાં આજી ડેમ સ્વચ્છ બની રહે તેની કાળજી રાખે, અને કચરો ડેમમાં નાંખવાને બદલે નજીકની કચરાપેટીનો ઉપયોગ કરે તેવી જાહેર જનતાને અપીલ કરાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.