Abtak Media Google News

ધોરાજી ખાતે તાજેતરમાં બનેલા આર.સી.સી.રોડમા ગાબડા પડવા લાગતા રોડ રસ્તાની અનેક યાતના ભોગવીને છેલ્લે તો ભયંકર ભ્રષ્ટાચારથી ખદબદતો Rcc રોડ થાબડી દીધાંનો ધોરાજીના લોકોને અહેસાસ થઈ રહ્યો છે.

ધોરાજી ખાતે આવેલા સરદાર ચોકથી જમનાવડ નો આરસીસી રોડ તુટવા લાગ્યો છે આ રોડના કામનું બાળમરણ નિપજેલ છે જે નજરે જોનારા કહી રહ્યા છે. નજર નિહાળી શકાતું આકામ જોઈને લોકોમાં ભારે રોસ ભભૂકી ઉઠ્યો છે તાજેતરમાં બનેલા આ આર.સી.સી.રોડનું આટલું મોટું નબળું કામ સામે દેખાઈ રહ્યું છે થોડા સમયબનેલા આરોડની હાલત આવી છે.

તો આવતા ચોમાસામા તો આર.સી.સી.રોડનું નામો નિશાન મટી જ સે આ આર. સી.સી.રોડના કામમાપગની પાની ઘસીએ તો ગાબડા ઉખડી રહયા છે તેવું સ્થાનિક લોકો ભારે કચકચાટ સાથે જોવામળી રહ્યો છે. ઉચ્ચ આધિકારીની મીઠી નજર તળે ભ્રષ્ટાચારની આડમાં લોટપાણીને લાકડા જેવું કામ કરીને પૂર્ણ કરી દીધું છે આ કામની પુરી તપાસ થાય તો સમસ્ત ભ્રષ્ટાચાર સામે આવી સકે તેમ છે પરંતુ આખાઆડા કાન કરવાની ટેવથી ટેવાયેલા ઉચ્ચસત્તાધીશો માત્ર કાગળ ઉપર કામગીરી કરશે કે કેમ ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ પગલાં લેશે કે કેમ તે ધોરાજીના સ્થાનિક લોકોમાં સવાલો ઉદ્દભવી રહયા છે.

ઉલ્લેખનીય છેકે ધોરાજી વિધાનસભા કોગ્રેસના આગેવાનો સમગ્ર ધોરાજીની જનતા તથા ગામડા પથકના લોકોએ ખોબલેને ધોબલે મત આપી પોતાના પ્રતિનિધિ તરીકે મોકલેલ છે ત્યારે આ આર.સી.સી.રોડમા થયેલા ભ્રષ્ટાચારને ખુલ્લો પાડવા માટે તેઓએ આગળ આવીને તટસ્થ તપાસ કરાવવી કરાવવી જોઈએ તેવી લોકોની માગ સાથે માગણી થઇ રહી છે અને હવે જોવાનું એ છેકે પબ્લિકે ચૂંટેલા આગેવાનો ચુંટણી પહેલા જે આગેવાની લઇને લોકોના પ્રશ્રેને લડત આપતાં હતા.તે કોગ્રેસના આગેવાનો આ Rcc રોડ ના ભ્રષ્ટાચાર સામે કેમ મૌન સેવી રહ્યા છે ? તે ચર્ચા એ ધોરાજી શહેરના લોકોમા ભારે જોર પકડી રહ્યુ છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.