Abtak Media Google News

ભકિતનગરના પી.આઈ વી.કે.ગઢવી બરોડા અને ટ્રાફિકના પીઆઈ બી.જી.સરવૈયાની ગાંધીનગર બદલી

રાજયના પોલીસ મહાનિર્દેશક દ્વારા મોડી સાંજે ૭૪ પોલીસ ઈન્સ્પેકટરની બદલીના હુકમ કર્યા છે. જેમાં રાજકોટ શહેરના ત્રણના અને જિલ્લાના એક મળી સૌરાષ્ટ્રના ૩૨ પી.આઈ.ના આંતરીક ફેરફાર કરવામાં આવ્યા છે. વધુ વિગત મુજબ રાજયના પોલીસ મહાનિર્દેશક દ્વારા ૭૪ પોલીસ ઈન્સ્પેકટરની બદલીના હુકમ કરવામાં આવ્યા છે. જેમાં રાજકોટ ફરજ બજાવતા વી.કે.ગઢવીને બરોડા, બી.જી.સરવૈયા, એલ.એલ.ભટ્ટને ગાંધીનગર ખાતે બદલી કરવામાં આવી છે.

Advertisement

જયારે ભુજ ખાતે ફરજ બજાવતા જે.એમ.આલને મોરબી, પી.આર.મેટલીયાને પોરબંદર, એફ.કે.જોગલ, કે.ડી.નકુમને સુરેન્દ્રનગર, આર.આર.વસાવા અમરેલી, બી.જે.ચાવડા, એલ.ડી.વાઘેલાને પોરબંદર, એમ.વી.કિકાણી દ્વારકા, જે.એમ.ચુડાસમા, એ.કે.ચોટીયારા જુનાગઢ, બી.એમ.દેસાઈ સુરેન્દ્રનગર, એસ.એમ.દેસાઈ અને પી.ડી.દરજીને પોરબંદર, સી.જે.ગૌસ્વામી ભાવનગર રેન્જ, આર.ડી.પરમાર સુરેન્દ્રનગર અને આર.જી.રાણાને ભુજ ખાતે બદલી કરવામાં આવી છે. જયારે ગીર સોમનાથના બી.બી.કોળી સુરત, ભાવનગરથી વી.એસ.માંજલીયાને અમદાવાદ ગ્રામ્ય જામનગરના એસ.એસ.ભદોરીયાને બરોડા, એસ.એસ.ડામોર અમદાવાદ શહેર, અમરેલીના પી.પી.ચૌધરીને નર્મદા, એલ.ડી.ઓડેદરાને અમદાવાદ શહેર ખાતે બદલીના હુકમ કરવામાં આવ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.