કમાણી જૈન ભવન, કોલકાતાના આંગણે પૂ.ધીરગુરુદેવની નિશ્રામાં રાધિકા આશિષ પટેલની ૩૦ ઉપવાસ-માસ ક્ષમણ તપની ઉગ્ર તપશ્ર્ચર્યા અનુમોદનાર્થે ભકતામર રહસ્ય પ્રવચન મધ્યે સરકારની ગાઈડલાઈન મુજબ સંઘ, નવલખા સંઘ, ટોલીગંજ, ગુરુગીરીભકિત ગ્રુપ, કાઠિયાવાડી સ્થા.જૈન સમાજ, જૈન જાગૃતિ, મહિલા મંડળ વગેરેના પ્રતિનિધિ તેમજ જયોત્સનાબેન ચંદ્રવદનભાઈ દેસાઈએ રૂા.૨૧૦૦૦/- અને અલ્પેશ શાહે આકર્ષક નવકાર ફ્રેમથી બહુમાન કરેલ. આજે સવારે પારણા સંપન્ન થયા છે. તિલકનો લાભ વીણાબેન કિરીટભાઈ મહેતાએ લીધેલ. જૈન માઈનોરિટી કમિશન ઓફ વેસ્ટ બેંગાલના મેમ્બર અશોકભાઈ તુરખીયાના પ્રયત્નથી સરકારી નિયમને આધીન મર્યાદિત સંખ્યામાં ભાવિકોને આવવાની વ્યવસ્થા કરાયેલ છે. ચંદના સ્વાધ્યાય મંદિર-જૈન શાળાની વેબસાઈડનું લોન્ચિંગ ચંદ્રવદન દેસાઈ, પ્રફુલભાઈ મોદી, શૈલેન અવલાણી, પંકજ મોદી વગેરેએ કરેલ. રૂપલ અવલાણીએ પ્રગતિનો અહેવાલ. આપેલ. કાર્યક્રમને સફળ બનાવવા સંઘ અને ચાતુર્માસ કમિટિના કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી.
Trending
- આજનું રાશિફળ: આ રાશિના જાતકોને વડીલોની સલાહ ધ્યાન પર લેવી જરૂરી બને અને મતભેદ નિવારી શકો
- ‘રામાયણ’ના રામ-સીતાનો ફર્સ્ટ લૂક થયો વાયરલ…!!!
- એક સમયે ભારતના ટુ-વ્હીલર માર્કેટ એટ્લે Bajajના આ સ્કૂટર
- બીજા તબક્કામાં આ વિસ્તારના મતદારોએ કહ્યું કે તેઓ મતદાન નહીં કરે, પછી શું થયું?
- MDH અને એવરેસ્ટ સામે યુએસમાં પણ પ્રતિબંધ આવશે ?
- રાજકોટ : પ્રદુષણ ઓકતી સિટી બસ સ્માર્ટ સિટીમાં લગાવે છે ઝાંખપ
- સુરત : ભાગતા ફરતા આરોપીને પકડવા માટે એક સ્પેશિયલ ડ્રાઈવનું આયોજન
- મણિપુરમાં ફરી હિંસા ભડકી : બે જવાન શહીદ