Abtak Media Google News

જાહેરસભામાં ગોવિંદ સગપરીયા દ્વારા પ્રતિષ્ઠાને હાનિ પહોંચાડી અને સમાજ વચ્ચે વૈમનસ્ય સર્જાય તેવા ભાષણ કર્યુ

બિનશરતી માફી પત્ર વર્તમાન પત્રોમાં એક સપ્તાહમાં પ્રસિઘ્ધ નહી કરે તો ફોજદારી સિવિલ રાહે કાર્યવાહી કરાશે

વિધાનસભા ની ચુંટણીઓ ને પત્યે ત્રણમાસ જેવો સમય વિતવા છતા ગોંડલ ની બહુ ચર્ચિત ચુંટણી ના પડઘા હજુ સમ્યા ના હોય તેમ રીબડા મા જાહેરસભા મા ઉદ્યોગપતિ દ્વારા રીબડા ના અનિરુધ્ધસિહ મહિપતસિંહ જાડેજા વિરુધ્ધ અપાયેલા કથીત પ્રવચન અંગે અનિરુધ્ધસિહ જાડેજાએ ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયા ને રુ.50 કરોડ ના માનહાનિ દાવા અંગે એડવોકેટ દ્વારા નોટીસ ફટકારતા થોડો સમય શાંત રહેલુ ગોંડલ ફરી ખળભળી ઉઠ્યુ છે.

અનિરુધ્ધસિહ જાડેજા ના એડવોકેટ દિનેશભાઈ પાતર દ્વારા રાજકોટ ના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ભગવાનજીભાઈ સગપરીયા ને નોટીસ પાઠવી જણાવ્યુ કે અનિરુધ્ધસિહ જાડેજા ક્ષત્રીય સમાજ ના આગેવાન છે.અનેક સેવાકીય અને સામાજીક સંસ્થાઓ સાથે જોડાયેલા છે.સમાજ મા માન,મોભો અને પ્રતિષ્ઠા ધરાવે છે.

ત્યારે ગત તા 26/12/22 ના રીબડા ખાતે પુર્વ ધારાસભ્ય જયરાજસિહ જાડેજા તથા ધારાસભ્ય ગીતાબા જાડેજા ની હાજરી મા યોજાયેલી જાહેર સભા મા તમે અનિરુધ્ધસિહ તથા તેમના પરિવાર અંગે બદનક્ષીજનક ટીપ્પણીઓ કરેલ હતી,જે વર્તમાન  પત્રો સહીત મીડીયા મા બહોળી પ્રસિદ્ધિ પામી હતી.

આમ જાહેર મા અસભ્ય ભાષા તથા અપમાનજનક શબ્દો દ્વારા અનિરુધ્ધસિહ તથા તેમના પરિવાર ના ચરિત્ર ને હલકુ દાખવવા કુચેષ્ટા કરાઇ છે.

વધુ માં ક્ષત્રીય તથા પટેલ સમાજ વચ્ચે વૈમનસ્ય સર્જાય,પટેલ સમાજ ના યુવાનો અમારા અસીલ ને દુશ્મન ની નજર થી જુએ તથા તેમની હત્યા કરવા પ્રેરાય તેવા ભડકાઉ શબ્દો પ્રયોગ તમારા દ્વારા કરાયા હતા.

આમ આપ દ્વારા અનિરુધ્ધસિહ તથા તેઓના પરીવાર ને માનસિક ત્રાસ તથા પ્રતિષ્ઠા ને હાની પહોંચી હોય નુકશાન પેઠે રુ.50 કરોડ નુ વળતર નોટીસ મળ્યે દિવસ સાત મા ભરપાઈ કરી બિનશરતી માફીપત્ર વર્તમાનપત્રો મા પ્રસિદ્ધ કરવી,ઉપરોક્ત બાબતે કસુર થયે ફોજદારી તથા સિવિલ રાહે કાયઁવાહી કરાશે તેવુ એડવોકેટ દિનેશભાઈ પાતરે જણાવ્યુ હતુ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.