Abtak Media Google News

રાજાશાહી વખતના નવનાલા તરીકે ઓળખાતા પુલથી રસાલા ડેમ સુધીનો કાંઠો આ પ્રોજેક્ટ હેઠળ વિકસાવાશે

માણાવદર શહેરમાં રાજય સરકાર દ્રારા રીવર ફન્ટ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે રીવર ફન્ટ નું ટેન્ડર પણ બહાર પડી ગયું છે ટેન્ડરમાં તેની કિંમત રૂ. ૨૪,૩૪,૪૯,૬૯૭ અંદાજવામાં આવી છે માણાવદર ના રાજાશાહી વખતમાં નવનાલા તરીકે ઓળખાતા પુલથી લઈ રસાલા ડેમ સુધીનો કાંઠો આ પ્રોજેક્ટ હેઠળ વિકસાવાશે માણાવદરના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા કેબિનેટ મીનીસ્ટર બન્યા બાદ માણાવદરને  મળેલું સૌથી મોટું નજરાણું છે. એમ માણાવદર તાલુકા ભાજપ પ્રમુખ હરસુખભાઇ ગરાળા એ જણાવ્યું હતુ. ગુજરાત પ્રવાસન નિગમ લી.દ્વારા આ રીવર ફન્ટ માણાવદર શહેરમાંથી પસાર થતી ક્ષારવતી નદીના કાંઠે બનાવવામાં આવનાર છે. આ અંગે જવાહરભાઈ ચાવડા એ જણાવેલ છે કે જૂનાગઢ જિલ્લામાં કયાંય પણ રીવર ફન્ટ નથી અને માણાવદરમાં એવું કાંઈ નથી જેના પર લોકો ગર્વ લઇ શકે આથી એક ફરવાનું સ્થળ આપવાનો આ પ્રયાસ છે. માણાવદર શહેરના લોકો પરિવાર સાથે આનંદથી સમય પસાર કરી શકે એવા સ્થળનું નિર્માણ આકાર લઇ રહયું છે એમ માણાવદર તાલુકા ભાજપ મહામંત્રી જગદીશભાઇ મારૂ અને કિરણભાઈ ચૌહાણે જણાવ્યું હતુ.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.