Abtak Media Google News

તળાવ નવીનીકરણ માટે રૂ. 33.58 કરોડ, ભૂગર્ભ ગટર વ્યવસ્થા રૂ.8.87 કરોડ,મંજૂર કરાયા

રાજ્યની 12 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ અને તળાવ નવિનીકરણ માટે  રૂ. 134.91 કરોડના વિકાસ કામોને મંજૂરી  આપવામાં આવી છે. ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશનની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટ-ભૂગર્ભ ગટર પ્રોજેક્ટ તથા તળાવોના નવિનીકરણ માટે વિકાસ કામો મંજૂર કરાયા છે.

6 નગરોમાં 14890 થી વધુ ઘરોને પાણીના કનેક્શન જોડાણથી હાલની સાડા 6 લાખ તથા ભવિષ્યની 10 લાખ જેટલી જનસંખ્યાને લાભ મળશે.રાજુલા-ઠાસરા-બારડોલી-વાપી-સાવલી અને બોરિયાવી નગરપાલિકાઓને પાણી પૂરવઠા પ્રોજેક્ટનો લાભ મળશે. દ્વારકા-મહેસાણા-ગોધરા-ભરૂચમાં વોટર બોડી રિજુવેનેશનથી 1.30 લાખ ચોરસ મીટર વિસ્તારના તળાવોનો કાયાકલ્પ થશે.વલસાડમાં ભૂગર્ભ ગટર યોજના પ્રોજેક્ટ માટે રૂ. 8.87 કરોડ મંજૂર કરાયું છે.

ગુજરાત અર્બન ડેવલપમેન્ટ મિશન  દ્વારા રાજ્યની 12 નગરપાલિકાઓમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 91.92 કરોડ સહિત વિવિધ વિકાસ કામો માટે કુલ રૂ. 134 કરોડ 91 લાખના કામોને મંજૂરી આપવામાં આવી છે.

વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશના નગરોમાં દરેક ઘરમાં નળ દ્વારા પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાના ઉદ્દેશ્યથી શરૂ કરાવેલી અટલ મિશન ફોર રિજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન અમૃત-2.0 પ્રોજેક્ટની સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની ગાંધીનગરમાં તાજેતરમાં મળેલી બેઠકમાં આ કામો મંજૂર કરવામાં આવ્યા છે.

આ બેઠકમાં પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે રૂ. 91.92 કરોડ, તળાવ નવિનીકરણ માટે રૂ. 33.58 કરોડ અને ભુગર્ભ ગટરના 1 પ્રોજેક્ટ માટે રૂ. 8.87 કરોડ તેમજ પાર્ક પ્રોજેક્ટના રૂ. પ4 લાખ મંજૂર કરવામાં આવ્યા છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના દિશાદર્શનમાં રજૂ થયેલા વર્ષ ર0ર3-ર4 ના બજેટમાં રાજ્ય સરકારે અમૃત 2.0 અંતર્ગત પાણી પૂરવઠા, ગટર વ્યવસ્થા, વરસાદી પાણીના નિકાલ તથા તળાવોના વિકાસ વગેરે માટે રૂ. 14પ4 કરોડની જોગવાઇ સુનિશ્ચિત કરી છે.જીયુડીએમની આ સ્ટેટ લેવલ ટેક્નિકલ કમિટિની બેઠકમાં મંજૂર થયેલા વિકાસ કામોમાં બજેટની આ નાણાંકીય જોગવાઇઓ નવું બળ પુરૂં પાડશે.

પાણી પૂરવઠા પ્રોજેક્ટસ માટે જે 12 નગરપાલિકાઓને અનુમતિ આપવામાં આવી છે તેમાં રાજુલા નગરપાલિકા માટે રૂ. 1પ.પ8 કરોડ, ઠાસરા નગરપાલિકા માટે રૂ. 1પ.61, બારડોલી નગરપાલિકા માટે રૂ. પ.0પ, વાપી નગરપાલિકા માટે રૂ. 31.1પ, સાવલી નગરપાલિકા માટે રૂ.પ.49, બોરીયાવી નગરપાલિકા માટે રૂ. 19.04 કરોડનો સમાવેશ થાય છે.

આ 6 નગરપાલિકાઓને અપાયેલી પાણી પૂરવઠા પ્રોજેક્ટની મંજૂરીથી હાલની સાડા 6 લાખ તથા ભવિષ્યની અંદાજે 10 લાખની જનસંખ્યાને લાભ મળવાનો છે. એટલું જ નહિ, નવા 14890 ઘર જોડાણો પણ આપવામાં આવશે.

જીયુડીએમની આ બેઠકમાં દ્વારકા, ગોધરા, ભરૂચ તેમજ મહેસાણાના તળાવોના નવિનીકરણના કુલ રૂ. 33.58 કરોડના પ્રોજેક્ટસ મંજૂર થયા છે.આ મંજૂર થયેલા 4 વોટર બોડી રિજુવેનેશન પ્રોજેક્ટસથી કુલ 1.30 લાખ ચોરસ મીટર વિસ્તારના તળાવોનો કાયાકલ્પ થશે. તળાવોમાં છોડવામાં આવતા ગટરના ગંદા પાણીને યોગ્ય રીતે વાળીને શુદ્ધિકરણ પ્લાન્ટ તરફ લઇ જવામાં આવશે.

વલસાડ નગરપાલિકાના 8.87 કરોડના ભૂગર્ભ ગટર યોજના પ્રોજેક્ટસને પણ GUDMની SLTCની બેઠકમાં મળેલી મંજૂરીને પરિણામે વલસાડના નવા વિકાસ પામેલા વિસ્તારોને પ્રોજેક્ટ અન્વયે આવરી લેવાશે.વલસાડ નગરની 9410 જેટલી જનસંખ્યાને આ ભૂગર્ભ ગટર યોજનાનો લાભ મળવા સાથે નવા 1પ70 ઘર જોડાણો પણ અપાશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.