Abtak Media Google News

વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલ રણછોડનગર શાળાનાં પ્રાથમિક વિભાગનાં વિદ્યાર્થીઓએ મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત લીધી હતી. મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલાકાત દરમિયાન પ્રધાનચાર્ય કનુબેન ઠુમ્મરે વિદ્યાર્થીઓને મ્યુઝિયમનો પ્રાથમિક પરિચય અને ઓળખ આપ્યા હતા.

સરસ્વતી વિદ્યામંદિર સંકુલનાં વિદ્યાર્થીઓએ સત્ય અને અહિંસાની ભાવના કેળવવા અને ગાંધી વિચાર મૂલ્યોને સમજવાનાં હેતુસર કરેલી મહાત્મા ગાંધી મ્યુઝિયમની મુલકાતને સંસ્થાના ચેરમન અપૂર્વભાઈ મણીઆર અને ટ્રસ્ટી રમેશભાઈ ઠાકરે બિરદાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.