Abtak Media Google News

અનેક વર્ષોથી ધમકીઓનો સામનો કરી રહેલા રશ્દી પર ન્યુયોર્કમાં હુમલો: હાલત નાજુક

બ્રિટિશ-ઇન્ડિયન લેખક સલમાન રશ્દી પર શુક્રવારે ન્યૂયોર્કમાં એક કાર્યક્રમ દરમિયાન સ્ટેજ પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. હુમલાખોરે સલમાન રશ્દીના ગળા પર ચાકુ વડે અનેક ઘા કર્યા છે. ન્યૂયોર્ક પોલીસે હુમલાખોરને કસ્ટડીમાં લીધો છે. હુમલામાં ઘાયલ થયેલા સલમાન રશ્દીને હેલિકોપ્ટર દ્વારા હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે. 75 વર્ષીય સલમાન રશ્દીને તેમના એક પુસ્તક ’ધ સેટેનિક વર્સીસ’ માટે વર્ષોથી ધમકીઓ મળી રહી છે.આ નવલકથાને કેટલાક મુસ્લિમો દ્વારા પયગંબર મુહમ્મદનું અપમાન માનવામાં આવતું હતું. ભારતીય મૂળના બ્રિટિશ નાગરિક સલમાન રશ્દીનું પુસ્તક ’ધ સેટેનિક વર્સિસ’ 1988માં બહાર આવ્યું હતું અને ત્યારથી ઈરાનમાં તેના પર પ્રતિબંધ છે. આ પુસ્તક પર ઈસ્લામ વિરુદ્ધ ઈસ્લાફેમીનો આરોપ મૂકવામાં આવ્યો છે. ઘણા ઈરાની નેતાઓએ તેના માથા પર બક્ષિસ મૂકી હતી.

’ધ સેટેનિક વર્સિસ’ નવલકથામાં રશ્દીએ ઇસ્લામમાં શેતાન એટલે શું તેની વ્યાખ્યા કરી હતી. રશ્દીએ એક પ્રથા અંગે આ શબ્દનો પ્રયોગ કર્યો હતો. રશ્દીએ ધર્મ જનુનતાને શેતાન ગણાવ્યો હતો. ખરું ઇસ્લામ શું છે અને શેતાનીક કૃત્ય શું છે તે અંગે લખાયેલી નવલકથામાં મોહમદ પયગંબર સાહેબનું અપમાન કરવામાં આવ્યું છે તે મુદ્દે ખૂબ વિવાદ થયો હતો. ત્યારબાદ અનેક દેશોમાં આ નવલકથા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.ઈરાનના દિવંગત નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેની દ્વારા ’ધ સેટેનિક વર્સીસ’ પુસ્તક અંગે ફતવો પણ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં સલમાન રશ્દીના મૃત્યુની અપીલ કરવામાં આવી હતી. ઈરાને રશ્દીની હત્યા કરનારને 3 મિલિયન ડોલર ઈનામની પણ જાહેરાત કરી હતી. જો કે, ઈરાનની સરકારે પાછળથી આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીના હુકમથી પોતાને દૂર કરી દીધા. જો કે, સલમાન રશ્દી વિરુદ્ધની લાગણી ઈરાનની અંદર રહી.  2012માં ઈરાની ફાઉન્ડેશને સલમાન રશ્દી પરની બક્ષિસ વધારીને 3.3 મિલિયન ડોલર કરી હતી.કટ્ટરપંથીઓએ આરોપ લગાવ્યો હતો કે નવલકથામાં પયગંબર મોહમ્મદનું અપમાન કરવામાં આવ્યું છે.  આ પુસ્તકનું શીર્ષક વિવાદિત મુસ્લિમ પરંપરા વિશે હતું. આ પુસ્તક આવતાની સાથે જ વિશ્વભરમાં દેખાવો શરૂ થઈ ગયા હતા. જે બાદ ઘણા દેશોમાં આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે સલમાન રશ્દીને આ પુસ્તક માટે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, ત્યારે આ નવલકથાના જાપાની અનુવાદકની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં આ પુસ્તકના પ્રકાશક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

આ ઘટનાઓ બાદ સલમાન રશ્દીને બ્રિટનમાં સરકાર દ્વારા પોલીસ સુરક્ષા આપવામાં આવી હતી. તેઓએ લગભગ એક દાયકા છુપાઈને વિતાવ્યા હતા અને ધમકીઓને કારણે વારંવાર તેમના રહેઠાણ બદલ્યા હતા.  રશ્દીએ 1990 ના દાયકાના અંતમાં બહાર આવવાનું શરૂ કર્યું જ્યારે ઈરાને કહ્યું કે તે તેની હત્યાને સમર્થન આપશે નહીં. હવે તે લગભગ 20 વર્ષથી અમેરિકામાં રહે છે.રિપોર્ટ અનુસાર રશ્દી જે કાર્યક્રમને સંબોધવાના હતા તે સમયે હાજર રહેલા એન્ડોક્રિનોલોજિસ્ટ રીટા લેન્ડમેન સ્ટેજ પર ગયા અને રશ્દીની સારવાર કરી હતી. રીટાએ જણાવ્યું કે રશ્દીના શરીર પર છરીના અનેક ઘા હતા, જેમાંથી એક તેની ગરદનની જમણી બાજુએ હતો અને તે લોહી લથપથ હતા. પરંતુ તે જીવીત હતા અને સીપીઆર લઈ રહ્યા ન હતા.રીટાએ કહ્યું, ત્યાં હાજર લોકો કહી રહ્યા હતા કે તેમના હૃદયના ધબકારા વધી રહ્યા છે. તેમની તબિયત અંગે તેના બુક એજન્ટ એન્ડ્ર્યુ વાયલીએ ઈમેઈલમાં લખ્યું છે કે સલમાનની એક આંખ ગુમાવવાની સંભાવના છે. તેના હાથની ચેતા તૂટી ગઈ છે અને તેના લીવરમાં છરીના ઘા મારવામાં આવ્યા છે.

હુમલા બાદ રશ્દીની હાલત નાજુક એક આંખ ગુમાવી શકે છે !!

રશ્દી જે કાર્યક્રમને સંબોધવાના હતા તે સમયે હાજર રહેલા એન્ડોક્રિનોલોજિસ્ટ રીટા લેન્ડમેન સ્ટેજ પર ગયા અને રશ્દીની સારવાર કરી હતી. રીટાએ જણાવ્યું કે રશ્દીના શરીર પર છરીના અનેક ઘા હતા, જેમાંથી એક તેની ગરદનની જમણી બાજુએ હતો અને તે લોહી લથપથ હતા પરંતુ તે જીવીત હતા અને સીપીઆર લઈ રહ્યા ન હતા. તેમની તબિયત અંગે રીટાએ બુક એજન્ટ એન્ડ્ર્યુ વાયલીએ ઈમેઈલમાં લખ્યું છે કે સલમાનની એક આંખ ગુમાવવાની સંભાવના છે. તેમના હાથની ચેતા તૂટી ગઈ છે અને તેના લીવરમાં છરીના ઘા મારવામાં આવ્યા છે.

સલમાન રશ્દીના મોત પર ફતવો બહાર પાડવામાં આવ્યો છે

ઈરાનના દિવંગત નેતા આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેની દ્વારા ’ધ સેટેનિક વર્સીસ’ પુસ્તક અંગે ફતવો પણ બહાર પાડવામાં આવ્યો હતો, જેમાં સલમાન રશ્દીના મૃત્યુની અપીલ કરવામાં આવી હતી. ઈરાને રશ્દીની હત્યા કરનારને 3 મિલિયન ડોલર ઈનામની પણ જાહેરાત કરી હતી. જો કે, ઈરાનની સરકારે પાછળથી આયાતુલ્લા રૂહોલ્લાહ ખોમેનીના હુકમથી પોતાને દૂર કરી દીધા. જો કે, સલમાન રશ્દી વિરુદ્ધની લાગણી ઈરાનની અંદર રહી.  2012માં ઈરાની ફાઉન્ડેશને સલમાન રશ્દી પરની બક્ષિસ વધારીને 3.3 મિલિયન ડોલર કરી હતી.

’ધ સેટેનિક વર્સીસ’ નવલકથાનો વિરોધ શા માટે?

કટ્ટરપંથીઓએ આરોપ લગાવ્યો હતો કે નવલકથામાં પયગંબર મોહમ્મદનું અપમાન કરવામાં આવ્યું છે.  આ પુસ્તકનું શીર્ષક વિવાદિત મુસ્લિમ પરંપરા વિશે હતું. આ પુસ્તક આવતાની સાથે જ વિશ્વભરમાં દેખાવો શરૂ થઈ ગયા હતા. જે બાદ ઘણા દેશોમાં આ પુસ્તક પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. જ્યારે સલમાન રશ્દીને આ પુસ્તક માટે જાનથી મારી નાખવાની ધમકીઓ મળી રહી છે, ત્યારે આ નવલકથાના જાપાની અનુવાદકની હત્યા કરવામાં આવી હતી. એટલું જ નહીં આ પુસ્તકના પ્રકાશક પર પણ હુમલો કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.