Abtak Media Google News

આયોજકોએ ‘અબતક’ની શુભેચ્છા મુલાકાત લીધી

જય માંધાતા સુર્યવંશી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા કોળી સમાજના ઇષ્ટદેવ માંધાતાનો પ્રાગટ્ય ઉત્સવ રથ યાત્રાનું તા.14ને શનિવારના દિવસે આયોજન કરવામાં આવ્યું છે. શનિવારે ભવ્ય શોભાયાત્રા નીકળશે. જે સવારના 8:00 વાગ્યાથી મોહનભાઇ સરવૈયા કોમ્યુનીટી હોલ, 80 ફૂટ ચોકડીથી શરૂઆત થશે. જે ચુનારાવાડ ચોક, સીતારામ નગર મેઇન રોડ કે.ડી.ચોક, સંતકબીર રોડ, પાંજરાપોળ, રામનાથ પરા ગરબી ચોક, પેલેસ રોડ, ભુપેન્દ્ર રોડ, ત્રિકોણબાગ, ઢેબર રોડ, મધુર હોસ્પિટલ ચોક, સોરઠીયા વાડી સર્કલ થઇ મોહનભાઇ સરવૈયા હોલ ખાતે પુર્ણાહુતિ થશે. રથયાત્રા પૂર્ણ થયા બાદ રાજમોતી મીલ પાછળ,સીતારામ સોસાયટી ખાતે પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે.

Advertisement

તા.14ના રોજ શોભાયાત્રામાં કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયા, કેબીનેટ મંત્રી ભાનુબેન બાબરીયા તેમજ ધારાસભ્ય ઉદયભાઇ કાનગડ, રમેશભાઇ ટીલાળા, દર્શિતાબેન શાહ, મેયર પ્રદિપભાઇ ડવ તેમજ રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઇ મીરાણી ઉપસ્થિત રહેશે.

ત્યારે આજે ‘અબતક’ની મુલાકાતે આયોજક સમિતિના મુખ્ય આગેવાનો, પ્રમુખ મનસુખભાઇ ગોવાણી, ઉપપ્રમુખ ગોરધનભાઇ કુમરખાણીયા, નાણામંત્રી સુરેશભાઇ ગણદીયા, સમાજ આગેવાન રમેશભાઇ પરમાર, પરસોત્તમભાઇ ભરાડીયા, નિખીલભાઇ ભંડેણીયા, સુધીરભાઇ મકવાણા, ભાવેશભાઇ રાઠોડ, વિમલભાઇ પરમાર, સંજયભાઇ સાકરીયા ઉપસ્થિત રહ્યાં હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.