કેન્દ્રીય મંત્રી પરષોત્તમભાઈ રૂપાલાએ જણાવ્યું કે અભયભાઈ ભારદ્વાજ અમારા અડીખમ નેતા હતા. રાજ્યના શ્રેષ્ઠ વકીલ હતા. અમારા પાર્ટીને જ્યારે લીગલ વકીલની જરૂર હોય ત્યારે અભયભાઈને અમે યોદ્ધા તરીકે અડિખમ કામ કરતા જોયા છે.પાર્ટીમાં પરિશ્રમ કરતા કાર્યકર્તા તરીકે જોવા મળ્યા છે. રાજ્ય સભામાં મારી સાથે એમને બેસવાનું ન થયું એનો વસવસો રહી ગયો છે. પરશુરામ એવોર્ડથી અભયભાઈ ભારદ્વાજની સ્મૃતિને કાયમ યાદ રાખવાનો સરહાનિય પ્રયાસ કરવામાં આવ્યો છે.
અંશ ભારદ્વાજે જણાવ્યું કે,અભયભાઈની સ્મૃતિમાં પ્રથા અકબંધ રાખવાનો અમારો પ્રયાસ રહ્યો છે.તેમની વિદાય બાદ પણ એવોર્ડ આપવાનું શરૂ રાખ્યું છે.અભભાઈને જીવંત રાખવાનો મારો અધ્યાય છે.અભયભાઈ એક વિચાર છે. વિચારને જીવંત રાખવાનો છે. લોકો વચ્ચે સતત આ વિચાર રહશે.સમાજ એમના નામે એકત્રિત થાય.આ એક જ હેતુ સાથે અમે આ કાર્યક્રમ કરતા રહેશું.જે અમારી માટે મોટી પ્રેરણા છે.
અભયભાઈની ખોટ પુરાઈ નહીં: વિજયભાઈ રૂપાણી
ગુજરાત રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું કે, અભયભાઈ મારા પરમ મિત્ર રહ્યા છે. અભય ભાઈ ની ખોટ પુરાઈ તેમ નથી. વકીલાત રાજકીય કે પત્રકારત્વ ની વાત હોય અભયભાઈ ની અનોખી છાપ દરેક ક્ષેત્રમાં તેઓએ છોડી છે. અભયભાઈની ખોટ સમગ્ર ગુજરાતને તથા બ્રહ્મ સમાજને વરતાઈ રહી છે.
ઉદ્યોગ ક્ષેત્રે પરશુરામ એવોર્ડથી સન્માનિત મનીષભાઈ મઢેકાએ જણાવ્યું કે,અભયભાઈના જન્મદિવસ પર પરશુરામ એવોર્ડ આપવામાં આવે છે.એવોર્ડથી સન્માનિત થતા વધારે કામ કરવાની ઉત્સાહ અને પ્રેરણા મળે છે.અભયભાઈએ સમાજ માટે ખૂબ મોટું કાર્ય કર્યું છે. અભયભાઈ એ બ્રાહ્મણોને એકત્રિત કર્યાએ પ્રશંસાને પાત્ર કાર્ય છે.
કલા ક્ષેત્રે પરશુરામ એવોર્ડથી સન્માનિત સાયરામભાઈ દવે જણાવ્યું કે, પરશુરામ એવોર્ડ થી સન્માનિત થવા બદલ અંશ ભાઈ ભારદ્વાજ નીતિનભાઈ ભારદ્વાજ સહિત તમામ સભ્યોનો હૃદય પૂર્વક આભાર વ્યક્ત કરું છું. અભય ભાઈ ભારદ્વાજ બ્રહ્મ સમાજનો અડધી રાતનો હોકારો હતા. માત્ર બ્રહ્મ સમાજના અગ્રણી નહીં પરંતુ 18 વર્ષના મોભી તરીકે લોકો તેમને માનતા હતા. ઘણા કહેશો તેમને કોર્ટ સુધી ન પહોંચે એવા પ્રયાસો કરી તેમની ઓફિસમાં જ પૂરા કર્યા છે.
પરશુરામ એવોર્ડથી સન્માનિત થઈ ગર્વની અનુભૂતિ: ડો.રાજેન્દ્ર ત્રિવેદી
તબીબી ક્ષેત્રે પરશુરામ એવોર્ડથી સન્માનીત ડો.રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ જણાવ્યું કે , અભયભાઈ ભારદ્વાજ સાથે મારો દાયકાઓનો સંબંધ રહ્યો છે. અંશ ભાઈએ અભયભાઈ ના જીવનની કાર્યશૈલી ને જાળવી રાખી છે. પરશુરામ એવોર્ડ થી સન્માનિત થઈ મને ખૂબ ગર્વ થઈ રહ્યો છે.
અભયભાઈએ કરેલી શરૂઆત વટ વૃક્ષ બની: નીતિન ભારદ્વાજ
નીતિનભાઈ ભારદ્વાજે જણાવ્યું કે, પરશુરામ એવોર્ડમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો અભયભાઈ ને યાદ કરીને આવ્યા છે. આ જોઈને જ ખબર પડે કે અભય ભાઈ એ કરેલી શરૂઆત આજે વટ વૃક્ષ બની છે. અંશ દ્વારા આ પરંપરા અને શરૂ રાખવામાં આવી છે એ મારી અને મારા પરિવાર માટે ગૌરવની વાત છે.