Abtak Media Google News

બીજા કારખાને બેસવા ગયા બાદ યુવાનનું ઢીમ ઢાળી દીધું: હત્યા કોને અને શા માટે કરી તપાસનો ધમધમાટ

શાપરમાં ગઇ કાલે હત્યાની ઘટના સામે આવી છે. જેમાં મજૂરીકામ અર્થે આવેલા યુવાનને અજાણ્યા શખ્સોએ છરીના આડેધડ ઘા ઝીંકી રહેશી નાખ્યો હતો. બીજા કારખાને બેસવા ગયા બાદ બહાર નીકળેલા યુવાનનું ઢીમ ઢાળી દીધું હતું. પોલીસે ઘટનાની નોંધ કરી હત્યા કોને અને શા માટે કરી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શાપરમાં એક્ટિવ કારખાનામાં રહેતા અને મજૂરીકામ કરી ગુજરાન ચલાવતા ભુપેન્દ્રભાઈ રવજીભાઈ શેનવા નામના ૩૮ વર્ષીય યુવાનની ગઇ કાલે અજાણ્યા શખ્સોએ છરીના ઉપરાછાપરી ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી દીધી હતો. જે ઘટના અંગે જાણ થતાં શાપર પોલીસ મથકના પીએસઆઈ કુલદીપસિંહ ગોહિલ સહિતના સ્ટાફે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે રાજકોટ ખસેડી આગળની કાર્યવાહી હાથધરી હતી.

પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યા મુજબ ગઇ કાલે મૃતક ભુપેન્દ્રભાઈ અન્ય કારખાનામાં બેસવા ગયા બાદ બહાર નીકળી સાયકલને તાળું મારતા હતા તે દરમિયાન અજાણ્યા શખ્સોએ છરીના ઝીકી પતાવી દીધો હતો. મૃતક બે ભાઈ એક બહેનમાં મોટા હોવાનું અને બે વખત તેના છૂટાછેડા થયા હોવાનું સામે આવ્યું છે. પોલીસે ઘટનાની નોંધ કરી હત્યા કોને અને શા માટે કરી તે અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.