Abtak Media Google News

ગાયક જયેશભાઈ દવે અને વિજયભાઈ અનડકટ ભકિતસભર ધુનોથી સંગીત પ્રાર્થના રજૂ કરશે

ઉમ્મીદ ફાઉન્ડેશન, રાજકોટ દ્વારા કાલાવાડ મેઈન રોડ, મોટામૌવા પછી, કોસ્મોપ્લેકસ સિનેમાની બાજુમાં આવેલ અંધ વૃધ્ધાશ્રમ ખાતે તા.૨૪ના રોજ સાંજે ૭ થી ૧૦ ૩ કલાકે શ્રીનાથજી ભકિતસંગીત સંધ્યા તથા ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આંતરરાષ્ટ્રીય ગાયક જયેશભાઈ દવે તથા વિજયભાઈ અનડકટ તથા તેમની સાથેના સહકલાકાર સંગીત ગ્રુપ તેમના સંગીત થકી ભકિતસભર ધુનોથી સંગીતપ્રાર્થના રજૂ કરવાના છે.

આ કાર્યક્રમમાં રાજકોટ શહેર મહાનગરપાલીકાના મેયર બીનાબેન આચાર્ય તથા જયમીન ઠાકર આરોગ્ય સમિતિ રાજકોટ ભારતીય જનતા પાર્ટીના રાજુભાઈ ધ્રુવ, મહિલા મોરચાના મહામંત્રી કિરણબેન માંકડીયા અતિથિવિશેષ તરીકે પધારી રહેલ છે.

આ તકે આગેવાનોએ અબતક મીડિયાની મુલાકાત લીધી હતી. આ કાર્યક્રમ માટે ગોપાલ નમકીન તરફથી સહયોગ મળેલ છે. તેમજ કાર્યક્રમને સફળ બનાવવા માટે ઉમ્મીદ ફાઉન્ડેશનના પ્રમુખ મનિષાબેના ટાંક, ઉપપ્રમુખ બિઝલ મેહતા, ખજાનચી, કૌશિક ટાંક, મહિલા પ્રમુખ પુજાબેન ત્રિવેદી, ફાલ્ગુનીબેન, મંત્રી હિરેન માધાણી, સહમંત્રી જતીન માધાણી તથા નિકુંજભાઈ દિપકભાઈ પરમાર, એમ.એસ. વર્મા તથા સિધ્ધરાજ જાડેજા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.