Abtak Media Google News

જય વિરાણી, કેશોદ 

Advertisement

કેશોદ શહેર તાલુકામાં વસતાં રબારી ભરવાડ,ચારણ અને અનુસુચિત જનજાતિના આગેવાનો દ્વારા મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આ આવેદનપત્રમાં મુખ્ય માંગણીઓમાં સરકારી નોકરીઓમાં પસંદગી પામતાં અનુસુચિત જનજાતિમાં સમાવિષ્ટ અન્ય બહુમતી ધરાવતાં સમાજ દ્વારા પાયાવિહોણી રજુઆતો કરી રોળા નાંખવાની પ્રવૃત્તિ સામે આપવામાં આવ્યું છે.

તેમની આ પ્રવૃતિઓને કારણે રબારી ભરવાડ ચારણ સમાજના LRD,GPSC,GSRTC, ITI ઈન્સ્ટ્રકટર અન્ય પરીક્ષાઓમાં ઉત્તિર્ણ થયેલ અંદાજે દોઢસોથી વધારે ઉમેદવારોની નિમણુંક પ્રમાણપત્રો ચકાસણીનાં બહાને રોકવામાં આવી છે. આ આવેદનપત્ર ગુજરાત રાજ્ય સરકાર નાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને રાજ્યપાલ ને ઉદ્શીને લેખિતમાં રજૂઆત કરી આપવામાં આવ્યું હતું.

4C719Dc2 Fd91 411C 9Ea3 Ce8D274Bd7Ed

પોરબંદર અને ગાંધીનગર ખાતે ૧૧૮ દિવસ સુધી ઉપવાસ આંદોલન કરવામાં આવતાં બે મહિનામાં ઉકેલ લાવવાની ખાત્રી સાથે આંદોલન સ્થગિત કરવામાં આવ્યું હતું પરંતુ આજ સુધી કોઈ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી. રબારી ભરવાડ ચારણ સમાજને રાજ્ય સરકાર દ્વારા બંધારણીય હક્ક હિતથી વંચિત રાખવાનાં રાજકીય ષડયંત્રનાં માઠાં પરિણામ આવનારી ધારાસભાની ચૂંટણીમાં ભોગવવી પડશે એવી ચિમકી આગેવાનો એ ઉચ્ચારી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.