Abtak Media Google News

ગીર સોમનાથ જીલ્લાના ઇન્ચાર્જ પોલીસ વડા સંજય ખરાતઅ ગીર સોમનાથ જીલ્લામાં બનતા દરેક પ્રકારના ગુનામાં ફરાર આરોપીઓને પકડી પાડવા માટે સુચના આપી છે.

જુનાગઢ જેલમાં સજા ભોગવી રહેલ કેદી અશ્વીન  કાળાભાર પરમાર વચગાળાના જાીમન પર છુટેલ હોય અને તા. ૨-૩-૨૦૧૬ ના રોજ જુુનાગઢ જેલ ખાતે હાજર થવાને બદલે ફરાર થઇ છેલ્લા ત્રણ વરસથી નાસતો ફરતો હોય જે કામે પેરોલ ફર્લો સ્કોડના એ.એસ.આઇ. વી.જી.પરમાર તથા પો. હેડ કોન્સ્ટેબલ જોધુભાને બાતમી રાહે હકીકત મળેલ કે આ કામનો આરોપી હાલ આંકોલવાડી વિસ્તારમાં હોય જેથી તાત્કાલીક પેરોલ ફલો સ્કોડના એ.એસ.આઇ વી.જી. પરમાર  તથા પો. હેડ કોન્સ્ટેબલ જોધુભા ડાભી એલ.સી.બી. ના પો.કોન્સ ભુપેન્દ્રસિંહ, દીનેશભાઇ ગોંડલીયાનાઓએ આ ફરારી કેદીને આંકોલવાડી બસ સ્ટેશન પાસેથી દબોચી લઇ તેની બાકી રહેલ સજા ભોગવવા સારુ તાલાલા પો.સ્ટે. સોંપી જુનાગઢ જેલ ખાતે મોકલી આપવામાં તજવીજ કરવામાં આવ્યો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.