Abtak Media Google News

લખતર પોલીસ સ્ટેશનમાં બળાત્કારના ગુનામાં નાસતા ફરતા આરોપી મનસુખભાઈ ગોકળભાઈ મા‚ને સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અધિક્ષક દિપકકુમાર મેઘાણીની સુચનાના આધારે બી.એમ.વસાવાના માર્ગદર્શન હેઠળ તથા સર્કલ પો.ઈન્સ. ડી.બી.રાણાની સુચના આધારે, મજકુર આરોપીની કોલ ડીટેઈલ તથા અંગત બાતમીદારોથી હકિકત મેળવી ઉંડાણપૂર્વક તપાસ કરી તાત્કાલિક આરોપીને શોધી કાઢવા સુચના કરતા પોલીસ સબ ઈન્સ. એન.એલ.સાંખટ તથા લખતર પોલીસ સ્ટેશન સ્ટાફના માણસો પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન પો.સબ.ઈન્સ. એન.એલ.સાંખટએ મોબાઈલ કોલ ડીટેઈલ તથા અંગત બાતમીદારો પાસેથી ખાનગી હકિકત મેળવી આ કામના આરોપી મનસુખભાઈ ગોકળભાઈ મા‚ જાતે ભરવાડ (ઉ.વ.૨૯), રહે.લખતર લક્ષ્મીપરા, તા લખતરવાળાને લખતર બસ સ્ટેન્ડ વિસ્તારમાંથી ઝડપી પાડી ધોરણસરની કાર્યવાહી કરેલ છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.