Abtak Media Google News

બે હજારથી વધુ શ્રેષ્ઠ ફિલ્મો ગીતો લખનાર

1993 માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ અને 2013માં તેની યાદમાં પોસ્ટલ સ્ટેમ્પ બહાર પડી હતી: દોસ્તી ફિલ્મના ’ચાહુંગા મેં તુજે સાંજ સવેરે’ ગીત માટે ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો હતો

1946 માં ’શાહજહાં’ ફિલ્મ બાદ 1949 માં આવેલી અંદાજ ફિલ્મ ના ગીતોથી ભવ્ય સફળતા મળી હતી : તેમની છેલ્લી ફિલ્મ વન ટુ કા ફોર તેમના મૃત્યુ બાદ 2001 માં રિલીઝ થઈ હતી

ફિલ્મ જગતમાં સતત  60 વર્ષ સુધી શ્રેષ્ઠ ગીતો લખ્યા, પ્રથમ ફિલ્મ ‘શાહજહાઁ’ માં કે.એલ સાયગલના સ્વરમાં ‘જબ દિલ હી તૂટ ગયા, હમે જી કે કયા કરે’ ગીત હીટ થઇ ગયું. ફિલ્મ દોસ્તીના ગીત ‘ચાહુંગા મેં તુ જે સાંજ સવેરે’ માટે શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો.

Advertisement

અસરાર ઉલ હસન ખાન જેને આપણે મહાન ગીતકાર મજરૂહ સુલ્તાન પુરીના નામથી ઓળખીયે છીએ. તેમનો જન્મ 1 ઓકટોબર 1919 આગરા પાસેના સુલ્તાનપુરમાં થયો હતો, તેથી જ તેના નામ પાછળ ગામનું નામ લગાવી મજરૂહ સુલ્તાનપુરી બની ગયા. તે ભારતનાં ઉર્દુ કવિ અને ફિલ્મ જગતના પ્રખ્યાત ગીતકાર હતા. તેમની ફિલ્મી સફર 1946 થી 2000 સુધી રહી તેમણે કે.એલ. સાયકલ થી શરૂ કરીને હાલના અમીરખાન માટે પણ ગીતો લખ્યા હતા. તેઓ એક માત્ર ગીતકાર છે જેને દાદા સાહેબ ફાળકે એવોર્ડથી સન્માનીત કરાયા હતા.

1950 થી 60 ના દશકામાં તેઓ ભારતીય સિનેમાના પ્રમુખ ગીતકાર હતા જો કે બાદમાં તેમણે સતત ચાલીસ વર્ષ સુધી ફિલ્મી ગીતો લખ્યા હતા, તે ર0મી સદીના મહાન ગીતકાર હતા. 1965માં આવેલી ‘દોસ્તી’ ફિલ્મના ગીત ‘ચાહુંગા મેં તુ જે સાંજ સવેરે’ માટે શ્રેષ્ઠ ગીતકારનો એવોર્ડ મળ્યો હતો. 1993માં જીવન મહાન ઉપલબ્ધ સમો ‘દાદા સાહેબ’ એવોર્ડ મળ્યો હતો. 1980ના દશકામાં યુવા ધનને ગમતા રોમેન્ટીક સોંગમાં અમીરખાનની ફિલ્મ ‘કયામત સે કયામત તક’, લવ, કુર્બાન, લાલ દુપટ્ટા મલમલકા, જેવી હિટ ફિલ્મોના ગીતો લખ્યા હતા. તેમણે નવા સંગીતકારો આનંદ મિલીંદ, જતીન-લલીત જેવા સાથે પણ કામ કરીને શ્રેષ્ઠ ગીતો લખ્યા હતા.

પ્રારંભે મુશાયરામાં કવિતા ગાતા હતા. તેમણે ફિલ્મ જગતમાં જીગાર મુરાદાબાદી લાવ્યા હતા. 1945માં તેઓ મુંબઇ આવ્યા જયાં તેમની ગઝલ, શાયરી, કવિતા, ગીતો લોકોને ખુબ જ પસંદ પડયા હતા. 1946માં સંગીતકાર નૌશાદે મજરૂહના ગીતો ફિલ્મ ‘શાહજહાઁ’ માટે લખાવ્યા, પહેલી જ ફિલ્મમા ‘જબ દિલ હી તુટ ગયા’ કે.એલ. સાયગલના સ્વરમાં સુપર ડુપર થઇ ગયું, 1956માં દેવ આનંદની ફિલ્મ ‘સી.આઇ.ડી.’ માટે બધા જ ગીતો લખ્યા જેમાં ‘લે કે પહેલા પહેલા પ્યાર’ આજે પણ લોકો ગાતા નજરે પડે છે. ત્યારબાદ મહેંદી, ડોલી, મહબૂબ, અંદાજ, આરજું જેવી હિટ ફિલ્મોના સુંદર ગીતો લખ્યા હતા.

મજરૂહ સુલ્તાન પુરી રાજનીતિમાં જુકાવને કારણે બલરાજ સહાની જેવા અનય વામપંથી સાથે 1949માં જેલ યાત્રા  કરી હતી. તેઓ જેલમાં હતા ત્યારે તેમનો પરિવાર મુશ્કેલીમાં મુકાયો હતો. 1975માં રાજકપૂરે ફિલ્મ ‘ધરમ- કરમ’ ના એક ગીત માટે રૂ. એક હજાર આપેલા જે ગીત ‘ઇક દીન મીટ જાયેગા માટી કે મોલ’ ખુબ જ પ્રસિઘ્ધ થયું હતું.

1956ના દશકામાં મજરૂહ સુલ્તાનપુરીએ શ્રેષ્ઠ ફિલ્મી ગીતો લખ્યા હતા. ફૈઝ અહમદ ફૈઝ અને ખુમાર બારાબંકવી તો મજરૂહને શ્રેષ્ઠ ગીતકાર માનતા હતા, ફિલ્મ નિર્માતા નાસિર હુસૈન સાથે સૌથી વધુ ફિલ્મોમાં ગીતો લખ્યા જેમાં મોટાભાગની ફિલ્મો સુપર ડુપર હીટ થઇ હતી. 1957 થી 1995 સુધીની ફિલ્મોમાં તુમ સાનહી દેખા, તીસર મંજુલ, દિલ દે કે દેખો, ફિર વહી દિલ લાયા હું, બહારો કે સપને, કારર્વા, યાદો કી બારાત, હમ કીસીસી કમ નહી, જમાને કો દિખાના હે, કયામત સે કયામત તક, જો જીતા વોહી સિંકદર, અકેલે હમ અકેલે તુમ જેવી ટોચની ફિલ્મો હતી.

તીસરી મંજીલના હિટ ગીતો ને કારણે સંગીતકાર આર.ડી.બર્મનના સંગીતના વખાણ થયા હતા. ર4 મે 2000 ના રોજ 80 વર્ષે મુંબઇમાં નિધન થયું હતું. તેમની યાદમાં તેમના ગામ સુલ્તાનપુરમાં એક ગાર્ડન બનાવાયો છે. તેમના કેટલાક યાદગાર ગીતોમાં ‘હાવરા બ્રીજ’ ફિલ્મનું ‘બાબુજી ધીરે ચલના પ્યાર મેં જરા સંભલના’ આજે પણ હીટ છે. તેમની હિટ ફિલ્મોની યાદી બહુ જ લાંબી છે સતત 6 દશકા સુધી તેમણે  સુંદર ગીતો લખ્યા, જેમાં ચલતી નામ ગાડી, તીન દેવીયા, સોલવા સાલ, દુશ્મન, મેરે જીવન સાથી, મીલી, માસુમ, બાત એક રાત કી, કુદરત, અભિમાન, સુઝાતા, કાલાપાની, અનામિકા, નો દો ગ્યારહ, જવેલ થીફ, દીદાર, શાર્ગીદ, વાપસ, પેંઇગ ગેસ્ટ, ચાયના ટાઉન, બમ્બઇ કા બાબુ જેવી ઘણી હિટ ફિલ્મોમાં ગીતો લખીને ફિલ્મને હીટ બનાવી હતી.તેમના રોમેન્ટિક ગીતો યુગલ ગીતોના યુવાધન એ જમાનામાં પણ દિવાના હતા અને આજે પણ છે. 60 વર્ષની વયે 18 વર્ષના યુવા દિલોમી ધડકન ના ગીતો તેમને લખ્યા હતા. તેમના સુંદર ગીતો મુકેશ, લતા, કિશોર, મન્ના ડે, કે.એલ. સાયકલ, તલત મહેમુદ, રફી, આશા ભોંસલે, શમશાદ બેગમ, હેમંતકુમારે જેવાએ ગાયા હતા. પણ સૌથી વધુ યુગલ ગીતો રફી-લતાએ ગાયા હતા જે આજે પણ એવર ગ્રીન છે.મજરૂહ સુલતાનપુરી તેમની યુવા વયે પુનાની ચિકિત્સાનો અભ્યાસ કર્યો અરબી અને ફારસી ભાષા પણ તેમણે શીખી હતી. તેઓ પ્રભાવ શાળી, સરળ શૈલીના ઉમદા માનવ હતા. 1949 માં મિલ યુનિયનની બેઠકમાં કવિતા સંભળાવતા હતા જેને કારણે તેમને બે વર્ષની સજા થઇ હતી. 1951માં પાકિસ્તાન પણ ગયા હતા ત્યાં પણ તેમની ધરપકડ કરાઇ હતી. તેમણે બે હજારથી વધુ ફિલ્મી ગીતો લખ્યા હતા, જેમાં મોટાભાગના હિટ થયા હતા.

મજરૂહ સુલતાનપુરીના હિટ ફિલ્મી ગીતો

બાબુજી ધીરે ચલના, પ્યાર મેં જરા સંભલના. હાવડા બ્રીજ

ઇક દિન બિક જાયેગા માટી કે મોલ.. ધરમ-કરમ

મેરી ભીગી ભીગી સી. અનામિકા

આજા આજા મે હું પ્યાર તેરા. તીસરી મંજીલ

ઓ મેરે દિલ કે ચેન.. મેરે જીવનસાથી

કિતના પ્યારા વાદા હે.. કારવાઁ

જલ તે હે જીસ કે લીયે.. સુજાતા

છોડદો આંચલ જમાના કયા કહેગા. પેઇંગ ગેસ્ટ

રાત કલી એક ખ્વાબ મેં આઇ.. બુઢા મીલ ગયા

અકેલે હે તો કયા ગમ હે.. કયામત સે કયામત તક

કયા હુઆ તેરા વાદા.. હમ કીસીસે કમ નહીં

તેરે મેરે મિલન કી યે રૈના.. અભિમાન

લેકર હમ દિવાના દિલ..યાદો કી બારાત

બાર બાર દેખો હજાર બાર દેખો.. ચાઇના ટાઉન

> Video creator > Garba lover > Self confidence > Always be funny

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.