Abtak Media Google News

૨૧મી સદીમાં માનવવું જીવન ભાગ દોડ સાથે સતત તાણ વાળું બની ગયું છે.માણસે પોતેજ  પોતાની લાઈફ સાઈલને કારણે પોતાના  પગ પર કુહાડો માર્યોે છે.સામે ચાલીને રોગોને આમંત્રણ આપતું જીવન સૌ કોઈ જીવી રહ્યો છે.જીમમાં જઈને કરસરત-યોગ-કે શરીર કેર લેનારો પોતે ખાવાની બાબતમાં કેટલી દરકારણે છે.!!આજે જયારે  પ્રદુષણવાળી હવા, ભેળસેળ વાળો ખોરાક માનવી ખાય રહ્યો છે ત્યારે અમુક સુટેવોને પોષ્ટિક આહારથી તમો વર્ષો સુધી તંદુરસ્ત જીવન જીવી શકો છે.આજે ગમે તેને પુછો ત્યારે  કંઈકને કઈક શરીર સબંધિત ફરિયાદો કરતો જોવા મળે છે.

Knowledge Corner Logo

 

સૌ પ્રથમ તો માનવીને જીવવા માટે હવા પાણીને ખોરાકની જરૂર પડે છે જે આજે કયાંય ચોખ્ખી રીતે મળતાં નથી પરંતુ એક વાત નકકી છે કે આપણાં ઘરના રસોડામાં જ પડયા રહેતા મસાલાઓ ભોજનને ટેસ્ટી બનાવે છે.પણ સાથો સાથ તેનો ઉપયોગ તમારા સ્વાસ્થ્ય માટે સુધાર માટે કરી શકો છો. મોટા પેટ-ચરબી ઉતારવા આજે સૌ કોઈ આકરી ડાયેટીગ પ્રથા અપનાવી રહ્યો છે ત્યારે ફકત થોડી સમજથી માત્ર થોડા દિવસમાં તમો સારૂ રીઝલ્ટ મેળવી શકો છો.

રસોડાના તજ હોય તેમાંથી ઝડપથી વજન ઘટે છે.તેનો ગુણ છે કે તેનું પાણી પીવોે તો ભુખ શાંત કરે છે.બ્લડ શુગર પણ અંકુશ રાખે છે.એક ગરમ ગ્લાસ પાણીમાં તજ પાવડર નાખીને સુતા પહેલા પીવાથી કમર પર જામેલી ચરબી દુર થશે અજમાનું પાણી પણ શિયાળામાં ખુબજ સારૂ હોય છે. અજમાનું પાણી પીવો તો તમારી પાચનશકિત વધારે છે.તમારૂ મેટાબોલિઝમ સુધારે  છે માત્ર ૨૫ ગ્રામ અજમો રાત્રે પાણી ભરેલા ગ્લાસમાં પલાણીને સવારે નરણે કોઠે પીજવું આ પાણીને ટેસ્ટી બનાવવા તમો મધને ઉમેરી શકો છો.જીરાનો ઉપયોગ કરજિયાત દુર કરે છે.તે પેટની ચરબી પણ ઘટાડે છે. તેમાથી વજન પણ ઘટે છે. એક ચમચી જીરૂ પાણીના ગ્લાસમાં પાંચ મિનિટ ગરમ કરીને ઠંડુ થાય પછી પાણી પી જાવું  સવારે ભૂખ્યા પેટે પણ રાતનું પલાળેવ પાણી પીવાથી ફાયદો થાય છે.તમારી પેટની ચરબી ઓગળી જશે ફાંદ એકદમ ઘટી જશે.

Admin 1

તમારા રસોડામાં રહેલ તમામ મલાલા ગુણકારી હોવાથી તમારૂ રસોડું તમારે અડઘું દવાખાનું છે. જાવંત્રી-ખોરાકને પચાવવામાં મદદ કરે, જાયફળ ઝાડા મટાડે છે, સુંઠ પેટનાં દુ:ખાવા કે પાચન  બગાડ માટે કામ આવે છે. એવી રીતે  ગંઠોડા પણ તમને ખોરાક પચાવવમાં મદદ કરે છે.મોંઢામાં આવતી વાસ એલચી ખાવાથી દુર થાય છે.ખાટા કોકમ એસીડીટીમાં થતી બળતરાને મટાડે છે.સુવાદાણા પણ પેટનાં દુ:ખાવા માટે અકસીર ઉપાય છે.વરિયાળી પાચનશકિત સુધારે, ભૂખ ઉઘાડે, મોંની ગંધ દુર કરે છે.તજ તમારો મગજ સારો કરે છે.મેથી ચરબી ઘટાડે, શુગર ઘટાડે, વા ને કારણે દુ:ખતા પગમાં રાહત આપે છે.તમાલ પત્ર મગજમાં તંત્રને મજબુત કરે છે.

ધાણા ગરમીમાં રાહત આપે છે. ફુદીનો ખોરાક પચાવવામાં  મદદ કરે છે. લસણ તમારા હ્વદયને લોહીને શુધ્ધ કરે છે.ઉપરાંત  કેન્સર નથી થવા દેતું આદુ તમારી ભૂખ ઉઘાડે છે. પથારી પડેલ માણસ પણ આદુનાં સેવનથી બેઠું થઈ જાય છે. લીંબુ હોય ખાંટુ પણ દરેક રોગને પાટુમારીને ભગાડે છે, લીંબુ શરબત બહુ જ ગુણકારી છે. મીઠો લિંમડો તમારા આરોગ્ય માટે બહુજ ગુણકારી છે. હળદર વાગ્યા ઉપર લગાડો, ઉધરસમાં હળદર વાળું દુધ પીવાથી રાહત થાય છે. બગલની બામલાઈન થઈ હોય તો નાનકડી કાળીરાયના દાણા બહુ ગુણકારી છે. જીરાવાળી છાસતો મેલેરીયાને ભગાડે છે.જમ્યા બાદ આવી છાસ પીવાથી ખોરાકનું પાચન ઝડપીથી થાય છે. ચકકર આવતા હોય તો મરી ખાવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત હિંગ-અજમો-આમલી-કાળાસફેદ તલ પણ ગુણકારી છે.તલ -શરીરને કલ્શિયમ પુરૂ પાડે છે. ટુંકમાં આપણાં ડોશી વૈધમાં ઘણી તાકાત હતી. આજે તો મેડીકલ પ્લાંટેશનનો જમાનો આવી ગયો છે.તમારામાં રસોડામાં પડેલ ગુણકારી મસાલા જ તમારી દવા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.