Abtak Media Google News

પ્રમુખ ધર્મેશ જંજવાડીયાના અધ્યક્ષ સ્થાને સહકારી કર્મચારીઓનું યોજાશે સ્નેહમિલન

વાંકાનેર ખાતે રવિવારે કોળી સમાજનો જીવનસાથી પસંદગી મેળો તેમજ સરકારી  કર્મચારીઓનું સ્નેહમિલનમાં ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના  પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા હાજર રહેશે. ‘અબતક’ મીડિયાની શુભેચ્છા મુલાકાતે આવેલા આયોજકોએ વિશેષ વિગતો આપી હતી.સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાત રાજયભરમાં રહેતા ચુંવાળીયા , તળપદા , ઘેડીયા , દિવેચા સમસ્ત કોળી સમાજના ઉચ્ચ અભ્યાસ કરતા એજયુકેશન ફેમીલીના યુવક – યુવતીઓ માટે કોળી શકિત્ત યુવક મંડળ દ્વારા વાંકાનેર ખાતે જીવનસાથી પસંદગી મેળો તા . 16/10 રવિવારે સવારે 9 કલાક થી 1 વાગ્યા સુધી રાજકોટ રોડ , મામલતદાર કચેરીની સામે , સ્વામીનારાયણ મંદિરની બાજુમાં જય વેલનાથદાદા મંદિર વાંકાનેર મુકામે યોજાશે તેમજ તેમની સાથે મોરબી જીલ્લાના સમસ્ત કોળી સમાજના તમામ ડોકટરો , વકિલો , શિક્ષકો , પોલિસમિત્રોનું તથા ઉચ્ચકક્ષાના સરકારી કર્મચારીઓનું સ્નેહમિલન રાખેલ છે . આ કાર્યક્રમમાં વાંકાનેર તાલુકાના કોળી સમાજના નવા ચુંટાયેલા સરપંચઓ , તાલુકા પંચાયતના સદસ્યઓ , જીલ્લા પંચાયત સદસ્યઓનું શાહી જાજરમાન સન્માન સ્વાગત કરવામાં આવશે. આ કાર્યક્રમના ભોજન સમારંભના દાતા ગુજરાત ચુંવાળીયા કોળી સમાજના પ્રદેશ પ્રમુખ ધર્મેશભાઈ જંજવાડીયા અધ્યક્ષ સ્થાને હાજર રહેશે.

આ આયોજનને સફળ બનાવવા માટે દેવાંગભાઈ કુકાવાના માર્ગદર્શન  હેઠળ રમેશભાઈ ગોહિલ, જેન્તીભાઈ મદ્રેસાણીયા કલ્પેશભાઈ, ભરતભાઈ હડાણી, અશોકભાઈ  સારલા તેમજ જય વેલનાથ સમુહ લગ્ન સમિતિ વાંકાનેરના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.