Abtak Media Google News

ઓરડીની બહારથી કોઈ કારણોસર સ્પાર્ક થતા અંદર આગ ભભુકી’તી: ત્રણ સારવારમાં

વાંકાનેર તાલુકા પાસે માટેલ રોડ પર આવેલા સિરામિકના કારખાનામાં આવેલી શ્રમિકોની ઓરડીમાં આગ લાગતાં ચાર શ્રમિકો દાઝયા હતા. જેમાં એક શ્રમિકએ દમ તોડયો છે. ઓરડીમાંથી ગેસ લીકેજ થતી વેળાએ કોઈએ બહારથી સ્પાર્ક કરતા આગ લાગી હોવાનું પ્રાથમિક તારણ જાણવા મળી રહ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વાંકાનેર તાલુકામાં માટેલ રોડ પર અમરધામ નજીક આવેલા લેટોજા નામના સિરમિકના કારખાનાની ઓરડીમાં ગેસ લીકેજના કારણે આગ લાગતાં ઓરડીમાં રહેલા આશિષ સીધા પાલ (ઉ.વ.20), કમલેશ રામકરણ પાલ (ઉ.વ.37), સચિન સમેલા પાલ (ઉ.વ.19) અને પવન કલુ પાલ (ઉ.વ.18) દાઝી જતા તેઓને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાં આજરોજ કમલેશ રામકરણ પાલ નામના શ્રમિકએ સારવારમાં દમ તોડયો હતો. ઘટનાની જાણ થતાં પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.