Abtak Media Google News

ચિકિત્સા સેલમાં રાજકોટના ડો. અતુલ પંડયા, આર્થિક સેલમાં માધવ દવે અને શિક્ષક  સેલના મહેન્દ્રભાઇ પાડલીયાને સ્થાન અપાયું

ગુજરાત પ્રદેશ ભાજપ દ્વારા અલગ અલગ પાંચ સેલના સંયોજકોના નામોની ગઇકાલે સાંજે જાહેરાત કરવામાં આવી છે. જેમાં રાજકોટ શહેર અને જીલ્લાના ત્રણ અગ્રણીઓને સ્થાન આપવામાં આવ્યું છે.

Advertisement

પ્રદેશ ભાજપ અઘ્યક્ષ સી.આર. પાટીલ દ્વારા ચિકિત્સા, સહકારિતા, વ્યાવસાયિક, આર્થિક  અને શિક્ષક સંયોજકના નામોની જાહેરાત કરવામાં આવી છે. જેમાં ચિકિત્સ સેલમાં કર્ણાવતીના ડો. ધર્મેન્દ્રભાઇ ગજજર અને રાજકોટ શહેરના ડો. અતુલભાઇ પંડયાનો સમાવેશ કરવામાં આવ્યો છે. સહકારિતા સેલના સંયોજક તરીકે ગોતા કર્ણાવતીના બીપીનભાઇ પટેલ અને ભાવનગર જીલ્લાના મહેન્દ્રભાઇ પનોત, વ્યાવસાયિક સેલના સંયોજક તરીકે કર્ણાવતિના ગુંજનભાઇ છબીલદાસ મહેતા અને સુરતના કરશનભાઇ ગોંડલીયા, આર્થિક સેલના સંયોજક તરીકે કર્ણાવતીના પ્રેરકભાઇ શાહ અને રાજકોટ શહેરના માધવભાઇ દવે જયારે શિક્ષક સેલના સંયોજક તરીકે રાજકોટ જીલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ ડો. મહેન્દ્રભાઇ પાડલીયા અને અમદાવાદ જીલ્લાના મનુભાઇ પાવરાની નિમણુંક કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.