Abtak Media Google News

ધોરાજી નાં જમનાવડ રોડ પર આવેલ માધવનગર માં રહેતા શિક્ષક એવાં નંદલાલ કે ભલુ નાં બંધ મકાન ના તાળાં તુટ્યા હતાં શિક્ષક એવાં ભલુ સાહેબ પોતાના પુત્ર ને ત્યા રાજકોટ કોઈ કામકાજે ગયેલાં હોય અને એકાદ બે દિવસ મકાન બંધ હોય જેનો ચોરો એ લાભ લઈને મોડી રાત્રે બંધ મકાન લોખંડ ડ્રીલ તોડી ને મકાન અંદર પ્રવેશી ને અંદર રહેલ કબાટ નાં તાળાં તોડી નાંખી ને અંદર બે કબાટ ને તોડીને અંદર રહેલાં માલ સામાન ને વેર વિખેર કરી ને આતંક મચાવ્યો હતો.

શિક્ષક એવાં નંદલાલ કે ભલુ ને જાણ થતા તાત્કાલીક પોલીસ ને જાણ કરવામાં આવી હતી અને પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી ને આગળ ની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી શિક્ષક એવાં નંદલાલ કે ભલુ નાં જણાવ્યા અનુસાર અંદાજે પચાસ હજાર રૂપિયાની ચોરી થયાં નો અંદાજ છે હજું પોલીસ તપાસ કરી રહી છે ત્યા સુધી કુલ આંકડો કેટલો આવશે તેની ખબર પડશે હાલ તો આ બંધ મકાન ના તાળાં તુટ્યા હતાં અને ચોરો નો આતંક જોવા મળયો હતો

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.