Abtak Media Google News

મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણીની પ્રેરક ઉપસ્થિતિ! ૪૮ પાલ સાથે સ્વામી વાત્સલ્ય? ધર્મયાત્રામાં પ્રથમવાર ધર્મઅઘ્યક્ષ અને અનુકંપા રથ જોડાશે? જૈન ધર્મની શાસ્ત્રોકત પરંપરા મુજબ સ્વામિવાત્સલ્ય શણગારેલી કાર, બાઇક, રાસમંડળી, રથ, કળશધારી બહેનો, આકર્ષક રંગોળી : જૈનમનાં સભ્ય અબતક મીડિયાની શુભેચ્છા મુલાકાતે

જૈનમ દ્વારા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જન્મ કલ્યાણક દિને આયોજીત તા.૯ને રવિવારના રોજ ભગવાન મહાવીર જન્મ  કલ્યાણક મહોત્સવ અંતર્ગત ભવ્યાતિત વીર પ્રભુની ધર્મયાત્રા ત્રિશલાનંદન વીરકી, જય બોલો મહાવીર કી ના ગગન ભેદી નાદ સાથે યોજાશે. આગામી તા. ૯-૪-૨૦૧૭ ને રવિવારે ૮.૦૦ કલાકે  કિશાનપરા ચોક થી ધર્મયાત્રાનો પ્રારંભ થઇ જીલ્લા પંચાયત ચોક, ફુલછાબ ચોકમાં અશ્ર્વીનભાઇ શાહ દ્વારા સાકરના પાણીનું વિતરણ, મોટી ટાંકી ચોક, લીમડા ચોક, હરીહર ચોક થઇ ચૌધરી હાઈસ્કુલ ગ્રાઉન્ડમાં મહાવીરનરી ખાતે ધર્મસભામાં પરિવર્તિત થશે. આ ધર્મયાત્રાના ‚ટમાં સરબતનું વિતરણ જીલ્લા પંચાયત ચોકમાં જૈન સોશ્યલ ગ્રુપ સીટી, મોટી ટાંકી ચોકમાં વર્ધમાન યુવક મંડળ, પંચનાથ મહાદેવ મંદીર ખાતે પંચનાશ મંદીર સાર્વજનીક ટ્સ્ટ દ્વારા તેમજ ચૌધરી હાઇસ્કુલ મહાવીરનગરી ખાતે શ્રી મણીભદ્ર આસ્થા મંડળ દ્વારા આયોજન કરવામાં આવનાર છે.

ધર્મયાત્રામાં સાધુ ભગવંતોની નિશ્રામાં રાજકોટમાં સૌપ્રથમ વખત ધર્મયાત્રામાં પ્રારંભમાં ધર્મ અઘ્યક્ષ રથ જોડાશે. આ ઉપરાંત ૨૫ આકર્ષક ફલોટસ ફલોટસ સાથે બહોળી સંખ્યામાં શ્રાવક- શ્રાવિકો જોડાશે. આ ફલોટસમાં પ્રભુવીરના જીવનદર્શનનો ઉલ્લેખ હશે તેમજ જૈન સમાજ દ્વારા થતી ધાર્મિક-સામાજીક પ્રવૃતિઓના ફલોટસ, જીવદયાના ફલોટસ સામેલ થશે. ઉપરાંત ધર્મયાત્રાનાં ‚ટ ઉપર આકર્ષક અને મનમોહન રંગોળી, ભગવાનનો રથ, ધર્મધજા, સુશોભિત કરેલ કાર-બાઇક, કળશધારી બહેનો, રાસ મંડળી, સુરાવલી રેલાવતા બેન્ડ પાર્ટી સાથે ભવ્ય ધર્મયાત્રા નિકળશે. ઉપરાંત ધર્મયાત્રાના ‚ટ ઉપર જૈન-જૈનેતરો માટે પ્રસાદ વિતરણ થાય તેવા આશયથી પ્રથમ વખત અનુકંપા રથ પણ સામેલ થશે. ધર્મયાત્રામાં બહોળી સંખ્યામાં કાર અને બાઇક સવારો પણ જોડાશે. ધર્મયાત્રામાં જોડાનાર કાર અને ટુ-વ્હીલરનાં સુશોભન માટે પણ ઇનામ રાખવામાં આવેલ છે.

ફલોટસમાં શ્રેષ્ઠ પાંચ ફલોટસને પણ ઇનામો આપવામાં આવશે. જેમાં પ્રથમ નંબરને ‚ા ૫૦૦૦, બીજા નંબરને ‚ા ૪૦૦૦ અને ત્રિજા નંબરને ‚ા ૩૦૦૦, ચોથા નંબરને ‚ા ૨૦૦૦, પાંચમા નંબરને ‚ા ૧૦૦૦ નું રોકડ પુરસ્કાર આપવામાં આવશે. ધર્મયાત્રાની શ‚આતમાં લકકી ડ્ોની ટીકીટો આપવામાં આવશે. જેનો લકકી ડ્ો ધર્મસભામાં કરવામાં આવશે.

આ મહોત્સવમાં રાજકોટના પનોતાપુત્ર અને જૈન સમાજનાં ગૌરવ‚પ મુખ્યમંત્રી વિજયભાઇ ‚પાણી પણ વિશેષ હાજરી આપશે. વિશાળ સ્ટેજ સાથે રાજકોટમાં બિરાજમાન સ્થાનકવાસી, મૂર્તિપૂજક સંઘોના સાધુ-સાઘ્વજીઓની પાવનનિશ્રામાં  મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવનું આયોજન કરવામાં આવેલ છે. આ તકે પધારેલ સાધુ-સાઘ્વીશ્રીઓ આશિવર્ચન ફરમાવશે.

આ મહોત્સવની શાનદાર ઉજવણી માટે વિવિધ કમીટીઓની રચના કરવામાં આવી છે. જેમાં ફંડ કમીટીમાં જીતુ કોઠારી, સુજીત ઉદાણી, જયેશ વસા, ઉપેન મોદી, નિલેશ ભાલાણી, મેહુલ દામાણી,  જે.વી.શાહ, સુનીલ શાહ, મયુર શાહ, તુષાર ધ્રુવ, મીલન કોઠારી, ગ્રાઉન્ડ-મંડપ કમીટીમાં નિલેશ કામદાર, નિતેષ કામદાર, ઋષભ શેઠ, રાજેશ મોદી, જીજ્ઞેશ મહેતા, રાજુ દોશી, બીન્દેશ મહેતા, હીતેશ મહેતા, અજય વોરા, રોહીત પંચમીયા, બી.કે.શાહ, ફલોટ કમીટીમાં અમીત દોશી, ગીરીશ મહેતા, બ્રીજેશ મહેતા, ભરત કાગદી, પરાગ મહેતા, કેયુર વોરા, ઉદય ગાંધી, ચીરાગ ઉદાણી, હેમલ કામદાર, વિશાલ વસા, મેહુલ કામદાર, વિમલ કોઠારી, નિતેશ મહેતા, ચંદ્રેશ કોઠારી, પ્રચાર-પ્રસાર કમીટીમાં મેહુલ  દામાણી, ધર્મેશ શાહ, ધ્રુમીલ પારેખ, ચિરાગ દોશી ગેસ્ટ એરેન્જમેન્ટ કમીટીમાં જયેશ વસા, કુમાર શાહ, જયેશ મહેતા, કેતન ગોસલીયા, મૃણાલ અવલાણી, જનીત કોઠારી, સ્વામી વાત્સલ્ય કમીટીમાં… જયેશ વસા, મેહુલ દામાણી, સેજલ કોઠારી, ધીરેન ભરવાડા, રાજુ ઘેલાણી, નિમિષ પુનાતર, ચીરાગ દોશી, આકાશ ભાલાણી, જજ કમીટીમાં ડો. રાજુ કોઠારી, ડો. અમીનેષ ધ્રુવ, ડો. હીરેન દોશી, ડો. પાસર શાહ, ડો. ભાવિન કોઠારી, ડો. અમીત હપાણી, ૪૮ પાલ કમીટીના વિર ખારા, કેતન કોઠારી, દિવ્યેશ દોશી, હર્ષિલ શાહ, પ્રકાશ ખજુરીયા,  હિમાંશુ કોઠારી, ભરત દોશી (નેમીનાથ) પ્રશાંત સંધવી, ભાવીન મહેતા, વૈભવ સંધવી, મયુર મહેતા, જીતેશ સંધવી, સાધુ-સાઘ્વી આમંત્રણ કમીટીના અનીષ વાધર, મહેશ  મણીયાર, જૈનીસ અજમેરા, બીપીન ગાંધી, ત‚ણ કોઠારી, અનીમેષ ‚પાણી,  મેહુલ શાહ, વિક્રાંત શાહ, જીતુ મારવાડી, કેયુર વોરા  મીલન મહેતા, હર્ષદ મહેતા, ધર્મયાત્રા ‚ટ કમીટીમાં સુજીત ઉદાણી, નિલેષ ભાલાણી, ત‚ણ કોઠારી, ધૈર્ય પારેખ, મહેશ ભીમાણી, કમલેશ દોમડીયા, ભરત કોટડીયા, જયેશ દોશી, મોમેન્ટો કમીટીમાં અમીષ દેસાઇ, નિલેશ શા ગેસ્ટ આમંત્રણ કમીટીમાં સતીષ મહેતા, પીયુષ મહેતા, અનીલ દેસાઇ, મેહુલ ‚પાણી, કમલેશ શાહ, લકકી ડ્રો કમીટીમાં કીર્તી દોશી, ઉદય જોશી, ઉદય ગાંધી, ચેતન કામદાર, મીતેશ શાહ, સુકેતુ ભોડીયા, અતુલ બાવીસી બાઇક કમીટીમાં નિર્પુણ દોશી, મીલેશ મહેતા, રીશી વસા,  રોનક દોશી, ધવલ ગાંધી, પારસ શેઠ, પરેશ સંધવી, કુણાલ મહેતા, બ્રિજેશ મહેતા (સકસેસ) મૌલીક શાહ, જયદત સંધાણી, શ્રેણીક વોરા,સંજય વાધર, કાર કમીટીમાં જીતુ લાખાણી, સંદીપ મહેતા, મયુર મહેતા, હિતેશ શાહ, અલ્કેશ ગોસલીયા, પ્રણવ મહેતા, હેમલ કામદાર, ભરત દોશી (અમરેલી) હર્ષદભાઇ મહેતા, સુભાષ બાવીસી, ભરત પારેખ કાર્યાલય કલેકશન કમીટીમાં ભરત કાગદી, બ્રિજેશ મહેતા, મૃણાલ અવલાણી કાર્યરત બન્યા છેે.

મહાવીર સ્વામી જન્મ કલ્યાણક મહોત્સવના સ્વામી વાત્સલ્યનાં પાસ તમામ ઉપાશ્રય તથા દેરાસર, દિગંબર મંદીર શ્રીમદ રાજચંદ્ર મંદીર સમીહતની સંસ્થામાંથી વ્યકિત દીઠ ‚ા ૨૦ આપી પાસ મેળવી લેવા. પાસ વિતરણ તા. ૫-૪-૨૦૧૭ બુધવાર સુધી જ કરવામાં આવશે તો પાસ સમયસર મેળવી લેવા એક યાદીમાં જણાવાયું છે.

આ ભવ્યાતિ ભવ્ય આયોજનમાં રાજકોટના સ્થાનકવાસી જૈન મોટા સંધ, રાજકોટ જૈન તપગચ્છ સંધ (માંડવી ચોક દેરાસર) રોયલ પાર્ક સ્થાનકવાસી જૈન મોટા સંધ, શાલીભદ્ર સરદારનગર જૈન સંધ, શ્રી સદર સ્થાનકવાસી જૈન સંધ, આનંદનગર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રામકૃષ્ણનગર સ્થાનકવાસી જૈન સંધ, ભકિતનગર સ્થાનકવાસી જૈન સંધ, ગીતગુર્જરી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, ગોંડલ રોડ વેસ્ટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, નેમીનાથ વિતરાગ સ્થાનકવાસી જૈન સંધ, ઇન્દ્રપ્રસ્થ સ્થાનકવાસી જૈન સંધ, નાલંદા જૈન સંધ, શ્રય જય જીનેન્દ્ર સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, મનહર પ્લોટ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, સંધાણી સ્થાનકવાસી જૈન સંધ, નવકાર જૈન મંડળ, ઋષભદેવ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, અજરામર સ્થાનકવાસી જૈન સંધ, શેઠ સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, મહાવીરનગર સ્થાનકવાસી જૈન સંધ, શ્રમજીવી સ્થાનકવાસી જૈન ઉપાશ્રય, રેસકોર્ષ પાર્ક સ્થાનકવાસી જૈન સંધ, વૈશાલીનગર સ્થાનકવાસી જૈન સંધ, રાજગીરી ઉપાશ્રય (પંચાયનગર) પંચવટી શ્ર્વેતાંબર મૂર્તિ પૂજક જૈન તપગચ્સ સંધ, જાગનાથ મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંધ, મણીયાર જૈન દેસાસર શ્રાવક-શ્રાવીકા, સિઘ્ધચક્ર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ જૈન સંધ, પ્રહલાદ પ્લોટ શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંધ, આનંદનગર શ્ર્વેતાંબર મૂર્તિપૂજક જૈન તપગચ્છ સંધ, યુનિવસીર્ટી રોડ શ્ર્વેતાબર મૂર્તિપૂજક તપગચ્છ સંધ, ઓસવાલ તપગચ્છ જૈન સંધ, ગાંધીગ્રામ શ્ર્વેતાબર મૂર્તિપૂજન જૈન સંધ, શ્રી વિલમનાથ નંદનવન દેરાસર યુનિ. રોડ , કુંદ કુંદ કહાન મંદીર (કાનજી સ્વામી સંપ્રદાય) રાજચંદ્ર મુમુક્ષુ મંડળના પદાધિકારીઓએ શ્રાવક- શ્રાવિકાઓને ઉત્સાહ ભેર જોડાવવા  અપીલ કરી છે.

આયોજનમાં રાજકોટના તમામ જૈન સોશ્યલ ગ્રુપ જેમ કે મેઇન, વેસ્ટ, મીડટાઉન, ડાઉન ટાઉન, સીટી, રોયલ, સેન્ટ્રલ, સીલ્વર, સંગીની મીડટાઉન ડાઉન ટાઉન, જૈન જાગૃતિ સેન્ટર મેઇન મીડટાઉન જૈન યુવા ગ્રુપ જૈન યુવા ગ્રુપ જુનીયર અહમ સેવા યુવા ગ્રુપ દિગંબર સોશ્યલ ગ્રુપ સહીતના જોડાશે.

મયુર શાહ, ધીરેન ભરવાડા, બ્રિજેશ મહેતા, અમીષ દેસાઇ, મૃણાલ અવલાણી, રાજેશ મોદી, હિતેશ શાહ, હર્ષદ મહેતા, મેહુલ શાહ, તુષાર ધ્રુવ, પરાગ મહેતા, નિમિષ પુનાતર, ભરત દોશી (અમરેલી) ધૈર્ય પારેખ, નિપૂર્ણ દોશી, પ્રશાંત સંધવી હાજર રહ્યા હતાં.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.