Abtak Media Google News

ન્યુરો સર્જન ડો. સચિન ભીમાણીની સરાહનીય કામગીરી: દર્દીને મળ્યું નવજીવન

રાજકોટની સેલર હોસ્પિટલના ન્યુરો સર્જન સચીન ભીમાણીએ દાખલ થયુેલા ૮૩ વર્ષના વૃઘ્ધની સફળ સર્જરી કરી હતી. વૃઘ્ધ થોડા સમય પુર્વે પડી જવાથી દાખલ થયા હતા. હેમરેજ થતા પેરેલીસીસ થયું હતું તેમજ બોલવામાં તકલીફ પડતી હતી.

રિપોર્ટ કરતા હેમરેજની સાથે કોરોના પોઝિટીવ પણ આવ્યું હતું. હેમરેજ તથા કોવિડ-૧૯ પોઝિટીવ આવા જોખમી કેસને ડોકટર સચીન ભીમાણીએ હાથમાં લઇને સારવાર બાદ ઓપરેશન કર્યુ હતું. અને સફળ ઓપરેશન બાદ તેઓને સાજા કરીને ડિસ્ચાર્જ કરાયા છે.

આ ઉપરાંત બે સગર્ભા મહિલાની સફળતાપૂર્વક સર્જરી કરી છે.

સૌરાષ્ટ-કચ્છની એક માત્ર આધુનિક સુવિધાઓથી સજજ સેલસ હોસ્૫િટલમાં ડો. સચિન ભીમાણી જેવા નિષ્ણાંત તબીબે છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.