Abtak Media Google News

રાજકોટ નજીકના હડાળા ગામે રહેતી અને વિશક દિવસ પૂર્વે પોતાની જ્ઞાતીનાં યુવક સાથે પ્રેમલગ્ન કરનાર યુવતીને ગઈકાલે સાંજે તેના સગાભાઈઓ અને પોતાના જ પરિવારજનો દ્વારા અપહરણ કરાયું હતુ સમગ્ર મામલો પોલીસમાં પહોચતા યુવતીને ચોટીલાના કંઢવા ગામે રહેતા મામાના ઘરે મૂકીને જતા રહ્યા હતા કુવાડવા પોલીસે પોલીસ ચોપડે ગુનો નોંધી આરોપીને શોધવા ચક્રોગતિમાન કર્યા છે.

રાજકોટના હડાળા ગામે રહેતી વર્ષા અરવિંદ પરમાર નામની યુવતીએ વીશ દિવસ પૂર્વે સંતકબીર રોડ પરના ગોકુલનગરમાં રહેતા અરવિંદ રૂપાભાઈ પરમાર નામના 27 વર્ષિય યુવાન સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. પરંતુ વર્ષાના પરિવારજનો આ લગ્ન વિરૂધ્ધ હોવાથી તેના પરિવારજનો દ્વારા વર્ષાનું અપહરણ કરીને પોલીસમાં ફરિયાદ થતા ફરી વર્ષાને તેના મામાના ઘરે મૂકી નાશી ગયા હતા.

ગઈકાલ સાંજના સમયે બંને પતિ પત્નિ ઘરે હતા ત્યારે એક સ્વીફટ અને સ્કોપિયોમાંથી વર્ષાનો ભાઈ બુધો, કાકાજી સસરાનો પુત્ર હીરાભાઈ અને સમાજનાં આગેવાન નરશીભાઈ સહિત ચારેક અજાણ્યા શખ્સો વર્ષાના ઘર તરફ આવ્યા હતા અરવિંદે તેમને જોતા વંડી ચડી ભાગવા ગયો અને વર્ષા ન ભાગી શકવાથી તેનું તેના પરિવારજનોએ અપહરણ કરી ગયાની ફરિયાદ અરવિંદે કુવાડવા પોલીસે નોંધાવી હતી. પોલીસે ફરિયાદ નોઠધાતા વર્ષાને પરિવારજનો તેને તેના મામાના ઘરે ઉતારીને નાસી ગયા હતા.કુવાડવા પોલીસે જણાવ્યું હતુ કે અરવિંદ અને વર્ષા આમતો એક જ જ્ઞાતિના છે.પરંતુ ગૌત્રને કારણે વર્ષાને પરિવારજનોને આ લગ્ન ન મંજૂર હોવાથી વર્ષાનું અપહરણ કયુર્ંં હતુ પણ વર્ષાને મૂકી નાસી ગયેલા પરિવારજનો વિરૂધ્ધ ગુનો દાખલ કરી તેની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.