Abtak Media Google News

અગ્નિસ્નાન કરી જીવન ટુંકાવી લીધી: ત્રણ સંતાનોએ માતાબાદ પિતાની છત્રછાયા ગુમાવી

શહેરના ચામુંડાનગર વિસ્તારમાં રહેતા યુવાને થોડા સમય પહેલા પત્નીનું મૃત્યુ થયું હોય જેના વિયોગમાં પોતાના ઘરે જાત જણાવી જીવન ટુંકાવ્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરમાં રણછોડદાસ આશ્રમ પાસે ચોમુંડાનગરમાં રહેતો નરેન્દ્ર ડુંગરસિંહ બાવળીયા નામના ૩૩ વર્ષિય યુંવાને પોતાના ઘરે કેરોસીન છાંટી જાત જલાવી આપઘાત કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

મૃતક નરેન્દ્રભાઈના પત્નીનું બે ત્રણ માસ પૂર્વે જ બીમારી સબબ મોત નિપજયું હોય અને કામકાજમાં પણ કાંઈ મળતુ ન હોવાથી માનસીક તણાવના પગલે આપઘાત કર્યાનું પ્રાથમિક તારણ મળી રહ્યું છે. પોલીસ દ્વારા મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. યુવાન નરેન્દ્રએ આપઘાત કરતા પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.