Abtak Media Google News

સુરેન્દ્રનગર પાલિકાનો ૬૯મો સ્થાપના દિન ઉજવાયો

ગઈ કાલે સુરેન્દ્રનગર નગરપાલિકા ના ૬૯ સપના દિન ઉજવણી સાંજે ૫/૩૦ નગરપાલિકા સભાખંડમાં રાખવામાં આવેલી આ પ્રસંગે ઉપસ્થિત જીલ્લા પોલીસ વડા મનીન્દ્રર પ્રતાપસિંહ જીઇબીના વડા તલસાણીયા પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ નગરપાલિકા પ્રમુખ વીપીનભાઇ ટોલીયા ઉપપ્રમુખ જીગ્નાબેન પંડયા કારોબારી ચેરમેન બકાલાલ ઘરમેન્દ્રભાઇ સંઘવી તેમજ નગરપાલિકા વીવીઘ કમિટિ ના ચેરમેન કૈલાશબેન ચંદ્રિકા બેન રમીલાબેન પુવીઁબેન જશુબેન પૂર્વ પ્રમુખ આર ટી શાહ ભુપતસીંહ રાઠોડ પીડી રાઠોડ તેમજ કોંગ્રેસ ના સદસ્ય મલાભાઇ મેહબુબ ભાઇ હસુભાઇ જામ તેમજ અન્ય સદસ્ય શ્રીઓ તેમજ ચેમ્બર ઑફ કોમર્સના પ્રમુખ માઘવીબેન તેમજ શહેરના નાગરીકો વીવીઘ એસોસિયેશનના પ્રમુખ અને વેપારી મીત્રો અને મીડિયાના તમામ મીત્રો નગરપાલિકા ચીફ ઓફિસર અમીત કુમાર પંડ્યા સાહેબ હેરમાં સાહેબ તમામ ખાતા ના અધિકારી અને કર્મચારીઓ રહ્યા હતા.

આ સુરેન્દ્રનગર નગરપાલિકા ૬૯ માં સપના દિનની ઉજવણી નિમિત્તે સર્વ પ્રથમ નગરપાલિકા કંપાઉન્ડ માં આવેલી મહારાજા સુરેન્દ્રનગર સીંહજીની  પ્રતિમાને હારતોરા કર્યા એ પછી સંભાખંડ માં  આવેલા અઘીકારી અને પદાધિકારીઓ નુ  સ્વાગત કર્યુંએ પછી જીગનાબેન પંડ્યા સ્વાગત પ્રવચન કયુર્ં એ પછી પ્રમુખ શ્રી વીપીનભાઇ જીલ્લા પોલીસ વડા મનીન્દ્રર પ્રતાપ સિંહ પૂર્વ સાંસદ શંકરભાઈ વેગડ અને નગરપાલિકાના સ્વચ્છતાના બ્રાંન્ડ એમ્બેસેડર રાકેશ પુજારાએ સંબોઘન કર્યુ  એમાં જીલ્લા પોલીસ વડાએ તેમના સંબોધન માં થોડામાં ઘણુ બઘુ કહી આપીયુ અને બહુ સાચી વાસ્તવિક તથા કહી પ્રમુખ સાહેબએ એમની તમામ ટીમના સહયોગી ઉજવણી નિમિત્તે ડોર ટુ ડોર કચરો લેવા માટે તમામ ૧૧  વોર્ડ માં વોર્ડ દીઠ બે વાહનો અને સીટીમાં ૨ વાહનો એમ ૨૪ વાહનો કચરો લેવા આવશે એવી સુંદર જાહેરાત કરી તેમજ પ્લાસ્ટિક ઉપર ૫૦ માઇક્રોથી નીચે હોય તેના ઉપર પ્રતિબંધ મુક્યો અને બીજુ ખાસ મોટી જાહેરાત એ કરી કે સુરેન્દ્રનગર નગરપાલિકા ના ડંમપીંગ સાઇડ ઉપર ઓસ્ટ્રેલિયાનીં કંપની ૨૫ કરોડ રૂપિયા નુ રોકાણ કરીને ડંમપીંગ સાઇડ એવી મશીનરી  મુકવામાં આવશે કે જે કચરો ડંમપીંગ સાઇડ ઉપર છે.

તેનો ઉપયોગ કરીને વીજળી ઉત્પન્ન કરવામાં આવશે જેનાથી ગંદકી પણ દુર થાશે અને વીજળી પણ મળશે આવી અનેક જાહેરાતોથી સંભાખંડ માં ઉપસ્થિત રહેલા સર્વ  નાગરીકોએ તાળીઓ તાલે વઘાવી લીઘો હતો છેલ્લે નગરપાલિકા ચીફ ઓફિસર અમીત કુમાર પંડ્યા સાહેબ એ સંબોધન કરી આભાર વીઘી કરી હતી અને જે વિસ્તારમાં કચરો ભરવા માટે પ્લાસ્ટિક ટોપલી મળી નથી  તે તમામ વિસ્તારોમાં કચરા ટોપલી વીતરણ કરવામાં આવશે સાથે સ્વચ્છતા  વીશે સુરેન્દ્રનગર નગરપાલિકા હદમાં વસતાં લોકો ને જાગ્રત થવા અને સાથ સહકાર આપવા વિનંતી સાથે અપીલ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.