Abtak Media Google News

હળવદમાં બજરંગદળના આગેવાન પર થયેલા હુમલાના પડધા સૌરાષ્ટ્રભરમાં પડી રહ્યા છે. ત્યારે આ મામલે સુ.નગર જીલ્લા વિશ્વ હિન્દુ પરીષદ દ્વારા કલેકટરને આવેદન પાઠવી કસુરવાર સામે આકરા પગલા લેવાની માંગ ઉઠાવવામાં આવી છે.

આવેદનમાં જણાવાયું છે કે મોરબી જીલ્લાના હળવદ મુકામે હિન્દુ રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓ દ્વારા ભાઇચારાના સમજુતિના ભાગ રુપે વિધર્મિ કાર્યકર્તાઓ સાથે સકારાત્મક બેઠક કરવા માટે વિધર્મિઓના ઘરે જતાં વિધર્મિઓએ ભાઇચારાના ભાવથી આવેલા હિન્દુ રાષ્ટ્રવાદી કાર્યકર્તાઓ ઉપર તલવાર અને તેના જેવા બીજા હિંસક શસ્ત્રોથી એક જુટ થઇ જાનથી મારી નાખવાના ભાવથી વિધર્મિઓએ ખુબ જ બેરહેમી પૂર્વક ઘાતક હુમલો કર્યો છે. તો આવા વિધર્મિ ઓ ઉ૫ર કડક હાથે કાર્યવાહી થાય તેવી માંગ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.