Abtak Media Google News

સુરેન્દ્રનગર જિલ્લામાં  અલગ અલગ વિસ્તારોમાં વરસાદે ખેડૂતોના વાવેતરને વ્યાપક નુકસાન કર્યું છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા પંથકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ  તો અન્યત્ર તાલુકાઓમાં પણ બે થી ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબકવા પામ્યો છે જેને લઇને ખેડૂતોના વાવેતરને નુકસાન થયું છે સામાન્ય રીતે ખેડૂતો દ્વારા શિયાળાના પ્રારંભિક સમય ગાળામાં વાવેતર કરવામાં આવતું હોય છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો જીરું વરિયાળી ચણાનું વાવેતર કરતા હોય છે

પરંતુ  માવઠાના કારણે ખેડૂતોને શિયાળુ પાકો નિષ્ફળ જઈ રહ્યા છે હાલમાં ખેડૂતોના વાવેતર વિપુલ પ્રમાણમાં બગડ્યા છે ખાસ કરીને સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા વઢવાણ સાયલા પાટડી તેમજ મૂડી ચોટીલા પંથકના ખેડૂતોને વરસાદના કારણે વ્યાપક નુકસાન થયા હોવાનું સામે આવ્યું છે વાવેતરને નુકસાન થયા હોવાના કારણે ખેડૂતો ના પડ્યા ઉપર પાટુ જેવો માર ઉભો થયો છે બિયારણોની ખરીદી કર્યા બાદ હવે આવા વરસાદી માવઠા ખેડૂતોના બિયારણો નિષ્ફળ સાબિત કરી રહ્યા છે.

ખાસ કરીને માવઠાના કારણે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોની આર્થિક કમર તૂટી જાય તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો દ્વારા સરકાર પાસે ફરી એક વખત આશા વ્યક્ત કરવામાં આવી છે કે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતોને જે માવઠાના કારણે નુકસાન થયું છે તેની સહાય ચૂકવવામાં આવે અને આર્થિક રીતે સરકાર ફરી એક વખત ખેડૂતોની સાથે ઉભી રહે પરંતુ છેલ્લા ચાર વર્ષથી આ પ્રકારના માત્ર નાટકો કરવામાં આવતા હોય સર્વે થતા હોય પરંતુ એક પણ રૂપિયાની સહાય હજુ સુધી ખેડૂતોને ન ચૂકવવામાં આવી હોવાનો ખેડૂતોનો આક્ષેપ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.