Abtak Media Google News

સુરેન્દ્રનગર મુસ્લિમ સમાજ દ્વારા બળાત્કારીઓને આકરી સજા આપવા કલેક્ટરને આવેદન

કઠુઆ, ઉન્નાવ,સુરત,રાજકોટ મા થયેલા નાબાલિકો પર બળાત્કાર ના મામલે સુરેન્દ્રનગર જિલ્લા ના મુસ્લિમ સમાજ ના રહેબર પિરે-તરિકત સૈયદ હાજી યુસુફમીંયા બાપુ ના અધ્યક્ષસ્થાને મૌન રેલી કાઢી હતી અને  કલેકટરને આવેદન પત્ર આપ્યું હતું તથા રાજ્ય સરકાર ને તમામ હત્યારાઓ ગુનેગારો ને ફાંસી ની સજાની માંગ કરી છે, હજારો ની સંખ્યા મા હિન્દુ મુસ્લિમો આ મૌન રેલી મા જોડાયા હતા, મોહનભાઈ પટેલ, હનીફબાપુ, ડાડાબાપુ, હાફિઝ અબ્દુરેહમાન, તથા તમામ મસ્જિદ ના ઈમામ સાહેબ,  સુલેમાનભાઈ કુરેશી, સિકંદરભાઈ, હાસમભાઈ જામ, ઈસ્માઇલભાઈ પટેલ, રૂસ્તમભાઈ પિલુડીયા, મહેબુબ ખાન વગેરે તમામ આગેવાનો ઉપસ્થિત રહી તેમના દ્વારા મૌન રેલી ની વ્યવસ્થા જાળવવામાં આવી. સૈયદ યુસુફમીંયા બાપુ રેલી સંબોધન કર્યું, કેન્દ્ર સરકાર અને રાષ્ટ્રપતિ પાસે ફાંસીની સજાની માંગણી કરી છે જેથી કરીને આવનારા દિવસોમાં આવા કોઈ બનાવ ના બને તેના માટે સરકાર ને સલામતીના પગલા માટે તાકીદ કરી છે કાનુની કાયદા મા પણ તમામ બળાત્કારીઓને ફાંસી નુ કાયદો અમલ મા લાવવા પણ સરકાર ને રજૂઆત કરી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.